ભોજનને સ્વાદિષ્ટ અને પાચનયુક્ત બનાવવા માટે આદુનો ઉપયોગ હંમેશા ઘરમાં કરવામાં આવે છે. આમ તો તે બધા રાજ્યોમાં થાય છે, પરંતુ વધુ પ્રમાણમાં ઉત્પાદન કેરળ રાજ્યમાં કરવામાં આવે છે. જમીનની અંદર ઉગવા વાળું ભીની સ્થિતિમાં હોય ત્યારે આદુ, અને સુકાઈ જાય ત્યારે તે સુંઠ કહેવાય છે. ભીની માટીમાં દાટીને રાખવાથી તે લાંબા સમય સુધી તાજુ રહે છે. તેના મૂળ હલકા પીળાપણા ને લીધે ભહુખંડી અને સુગંધિત હોય છે.
આદુ માં અનેક ઔષધીય ગુણો હોવાને લીધે આયુર્વેદમાં તેને મહા ઔષધી માનવામાં આવે છે. તે ગરમ, તીક્ષ્ણ, ભારે, પાકમાં મીઠા, ભૂખ વધારનાર, પાચક, ચરચરા, રુચિકારક, ત્રિદોષ મુક્ત એટલે કે વાત, પિત અને કફ નાશક હોય છે.
વેજ્ઞાનિકો ના માનવા મુજબ આદુની રાસાયણિક બંધારણ માં ૮૦ ટકા ભાગ પાણી હોય છે, જો કે સુંઠ માં તેનું પ્રમાણ ૧૦ ટકા હોય છે. તે સિવાય સ્ટાર્ચ ૫૩ ટકા, પ્રોટીન ૧૨.૪ ટકા, રેશા (ફાઈબર) ૭.૨ ટકા, રાખ ૬.૬ ટકા, તાત્વિક તેલ (ઇસેન્શીયલ તેલ) ૧.૮ ટકા તથા ઔથિયોરેજિન મોટા પ્રમાણમાં મળી રહે છે.
સુંઠ (સુકું આદુ) માં પ્રોટીન, નાઈટ્રોજન , અમીનો એસીડ્સ, સ્ટાર્ચ, ગ્લૂકોજ, સુક્રોસ, ફ્રુકટોસ, સુગંધિત તેલ, એલીયોરેસીન, જિંજીવરીન, રૈફીનીશ, કેલ્શિયમ, વિટામીન ‘બી’ અને ‘સી’, પ્રોટીથીલીટ એન્જાઈમ્સ અને લોઢું પણ મળે છે. પ્રોટીથીલીટ એન્જાઈમ્સ ને કારણે જ સુંઠ કફ દુર કરવા અને પાચનમાં વિભાગમાં ખુબ જ ગુણકારી સાબિત થયેલ છે.
આદુ ને મોટાભાગે લોકો મસાલા તરીકે ઉપયોગ કરે છે. પરંતુ જો તેના રસ ને નિયમિત પીવામાં આવે તો તે ઘણી મોટી બીમારીઓને નિયંત્રણ માં રાખી શકે છે. તેમાં રહેલા એન્ટી બેક્ટેરીયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઇન્ફલેમેટરી પ્રોપર્ટી શરીરને હેલ્દી રાખવામાં મદદ કરે છે.
આદુનો રસ બનાવવાની રીત :
૧ ગ્લાસ પાણી માં થોડો આદુનો ટુકડો લઇ અને તેને થોડી વાર ગરમ કરો. જયારે પાણી ઉકળીને થોડું ઓછું થઇ જાય તો તેને ઠંડુ કરી સીપ સીપ કરીને પીવાનું છે. એક સાથે નથી પીવાનું. થોડું થોડું પીવાનું છે. જેવી રીતે ચા પીએ છીએ, જેવી રીતે ગરમ દૂધ પીએ છીએ, તેમ જ પીવાનું છે. તમે એક કામ બીજું કરી શકો છો, રાત્રે પાણીમાં આદુ નાખીને રાખી મુકો અને સવારે તેને ગરમ કરીને પાછું ઠંડુ કરીને પીઓ. અને જે ટુકડા પાણીમાં રહી ગયા છે તેને ચાવી ને ખાઈ લો.
ડાઈજેશન સુધારે : આદુનું પાણી શરીરમાં ડાઈજેશન જુસ ને વધારે છે. તેનાથી ખવાનું ઝડપથી ડાઈજેશન કરવામાં મદદરૂપ થાય છે.
હાર્ટ બર્ન દુર કરે : ભોજન કરીને ૨૦ મિનીટ પછી એક ગ્લાસ આદુનો રસ પીઓ.તે શરીરમાં એસીડ નું પ્રમાણ નિયંત્રણ માં રાખે છે. તેનાથી હાર્ટ બર્ન ની તકલીફ દુર થશે.
કેન્સરથી બચાવે : આદુમાં એન્ટી કેન્સર પ્રોપર્ટી રહેલી છે. તેનો રસ પીવાથી લંગ્સ, પ્રોસ્ટ્રટ, ઓવીરીયન, કોલોન, બ્રેસ્ટ, સ્કીન અને પેનક્રીએટીક કેન્સરથી બચી શકાય છે.
વજન ઘટાડે : આદુનો રસ પીવાથી શરીરનું મેટાબોલીજમ સુધરે છે. એવામાં વજન ઝડપથી બર્ન થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
ડાયાબીટીઝ કન્ટ્રોલ કરે : નિયમિત આદુનો રસ પીવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ કન્ટ્રોલ થાય છે. તેનાથી ડાયાબીટીઝ ની શક્યતા ઓછી થાય છે.
મસલ્સ નો દુખાવો : આદુનો રસ પીવાથી શરીરનું લોહી નું સરક્યુંલેશન સુધરે છે. તેનાથી મસલ્સ રીલેક્સ થાય છે અને મસલ્સ નો દુઃખાવો દુર થાય છે.
માથાનો દુઃખાવો દુર કરે : આદુનો રસ પીવાથી બ્રેન સેલ્સ રીલેક્સ થાય છે. તેનાથી માથાનો દુઃખાવો દુર થાય છે.
સ્કીન બને હેલ્દી : નિયમિત આદુનો રસ પીવાથી શરીરના ટોક્સિસ બહાર નીકળે છે. તેનાથી લોહી શુદ્ધ થાય છે અને પીમ્પલ્સ, સ્કીન ઇન્ફેકશન ની શક્યતા દુર થાય છે.
એડકી :
* તમામ પ્રકારની હેડકી માં આદુની સાફ કરેલી નાની કટકી ચુસવી જોઈએ.
* આદુના નાના ટુકડા ને ચૂસવાથી હેડકી ઝડપથી બંધ થઇ જાય છે. ઘી કે પાણીમાં સિંધાલુ મીઠું વાટીને સુંધવા થી હેડકી બંધ થઇ જાય છે.
* એક ચમચી આદુનો રસ લઈને ગાયના ૨૫૦ મીલીલીત્ર તાજા દુધમાં ભેલ્વીના પીવાથી હેડકીમાં રાહત થાય છે.
* એક કપ દુધને ઉકાળીને તેમાં અડધી ચમચી સુંઠ નું ચૂર્ણ નાખી દો અને ઠંડુ કરીને પિવરાવો.
* તાજા આદુના નાના નાના ટુકડા કરીને ચૂસવાથી જૂની અને નવી તથા સતત ઉપડતી હેડકી બંધ થઇ જાય છે. તમામ પ્રકારની અસાધ્ય હેડકી દુર કરવાનો આ એક કુદરતી ઉપાય છે.
પેટનો દુઃખાવો :
* આદુ અને લસણ ને સરખા ભાગે લઈને વાટીને એક ચમચી મુજબના પાણીમાં સેવન કરો.
* વાટેલી સુંઠ એક ગ્રામ અને થોડી હિંગ અને સિંધાલું મીઠુંની ફાકી ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો ઠીક થઇ જાય છે. એક ચમચી વાટેલી સુંઠ અને સિંધાલુ મીઠું એક ગ્લાસ પાણીમાં ગરમ કરીને પીવાથી પેટનો દુઃખાવો, કબજિયાત, અપચો ઠીક થઇ જાય છે.
આદુ અને ફૂદીનાનો રસ અડધી અડધી ચમચી લઈને તેમે એક ગ્રામ સિંધાલુ મીઠું નાખી ને પીવાથી પેટનો દુઃખાવામાં તરત રાહત થઇ જાય છે.
આદુનો રસ અને તુલસીના પાંદડા નો રસ ૨-૨ ચમચી થોડા ગરમ પાણી સાથે પીવરાવવાથી પેટનો દુઃખાવો શાંત થઇ જાય છે.
* એક કપ ગરમ પાણીમાં થોડો અજમો નાખી ને ૨ ચમચી આદુનો રસ નાખી ને પીવાથી લાભ થાય છે.
* આદુનો રસ માં લીંબુ નો રસ ભેળવીને તેની ઉપર કાળા મરચાનો વાટેલો પાવડર નાખીને ચાટવાથી પેટનો દુઃખાવા માં આરામ મળે છે.
* આદુનો રસ ૫ મીલીલીટર,લીંબુનો રસ ૫ મીલીલીટર, કળા મરચાનું ચૂર્ણ ૧ ગ્રામ ને ભેળવીને પીવાતી પેટનો
દુઃખાવો મટી જાય છે.
મોઢાનું દુર્ગંધ :
* એક ચમચી આદુનો રસ એક ગ્લાસ ગરમ પાણીમાં ભેળવીને કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દુર થઇ જાય છે.
દાંતનો દુઃખાવો :
* વાટેલું સિંધાલુ મીઠું આદુના રસમાં ભેળવીને દુખાવા વાળા દાંત ની જગ્યાએ લગાડો.
* દાંતોમાં અચાનક દુઃખાવો થાય ત્યારે આદુના નાના નાના ટુકડા ને છોલીને દુખાવા વાળા દાંતની જગ્યાએ દબાવીને રાખો.
* શરદી ના કારણે થતા દાંતમાં દુખાવા માં આદુના ટુકડાને દાંતોની વચ્ચે દબાવવાથી ફાયદો થાય છે.
ભૂખ ઓછી લાગવી :
આદુના નાં નાના ટુકડાને લીંબુના રસમાં પલાળીને તેમાં સિંધાલુ મીઠું ભેળવીલો, તેને ભોજન કરતા પહેલા નિયમિત રીતે ખવરાવો.
પાણીમાં ગોળ, આદુ, લીંબુનો રસ, અજમો, હળદર એક સરખા પ્રમાણમાં નાખીને ઉકાળો અને પછી એને ગાળીને પિવરાવો.
ગળું ખરાબ થવું :
આદુ, લવિંગ, હિંગ, અને મીઠું બધું ભેળવીને વાટી લો અને તેની નાની નાની ગોળીઓ બનાવો. દિવસમાં ૩-૪ વખત એક એક ગોળી ચુસો.
પક્ષઘાત :(લકવા) :
* ઘી માં અડદની દાળ વાટીને, તેની અડધા ભાગમાં ગોળ અને સુંઠ ભેળવીને વાટી લો. તેને બે ચમચીના પ્રમાણ માં દિવસમાં ૩ વખત ખવરાવો.
* અડદની દાળ વાટીને ઘી માં શેકો પછી તેમાં ગોળ અને સુંઠ વાટીને ભેળવીને લાડુ બનાવીને મુકીદો. એક લાડુ દરરોજ ખાવ અને દૂધ અને અડદ ઉકાળીને તેનું પાણી પીવો. તેનાથી પણ લકવા ઠીક થઇ જશે.
પેટ અને છાતીની બળતરા :
એક ગ્લાસ શેરડીના રસમાં બે ચમચી આદુનો રસ અને એક ચમચી ફુદીનો નો રસ ભેળવીને પિવરાવો.
વાત અને કમરનો દુઃખાવો :
આદુનો રસ નારીયેલ ના તેલ માં ભેળવીને માલીશ કરો અને સુંઠ ને દેશી ઘી માં ભેળવીને ખવરાવો.
પાસળીનો દુઃખાવો :
૩૦ ગ્રામ સુંઠ ને અડધો કિલો પાણીમાં ઉકાળીને અને ચાળી ને ૪ વખત પીવાથી પાંસળી નો દુઃખાવો દુર થઇ જશે.
ચોંટ લાગવી,કચરાઈ જવું :
ચોટ લાગવી, ભારે વસ્તુ ઉપાડવી કે કચરાઈ જવાથી તકલીફ વાળી જગ્યા ઉપર આદુને વાટીને ગરમ કરીને અડધો ઇંચ મોટો લેપ કરીને પાટો બાંધી દો. બે કલાક પછી પાટો દુર કરીને ઉપર સરસો નું તેલ લગાડીને શેક કરો. આ પયોગ દરરોજ એક વખત કરવાથી દુઃખાવો તરત જ મટી જશે.
સંગ્રહની (ખૂની દસ્ત)
સુંઠ, નાગરમોથા, અતિસ, ગીલોય તે બધાને સરખે ભાગે લઈ પાણી સાથે ઉકાળો બનાવો. આ ઉકાળાને સવાર સાંજ પીવાથી રાહત મળશે.
ગ્રહની (દસ્ત)
ગીલોય , અતિસ, સુંઠ નાગરમોથા નો ઉકાળો બનાવીને ૨૦-૨૫ મિલીલીટર દિવસમાં બે વખત આપો.
ભૂખવર્ધક :
* બે ગ્રામ સુંઠ નું ચૂર્ણ ઘી સાથે અથવા માત્ર સુંઠ નું ગરમ પાણી ની સાથે હમેશા સવાર સાંજ ખાવાથી ભૂખ વધે છે.
* કાયમ ભોજન પહેલા મીઠું અને આદુની ચટની ખાવાથી જીભ અને ગળું સુદ્ધ થાય છે અને ભૂખ વધે છે.
* આદુનું અથાણું ખાવાથી ભૂખ વધે છે.
* સુંઠ અને પિત્તપાપડા નો પાક (ઉકાળો) તાવ માં રાહત આપવા વાળો અને ભૂખ વધારવા વાળું છે. તેને પાચ થી દસ ગ્રામ ના પ્રમાણમાં કાયમ સેવન કરો.
સુંઠ,ચીરયતા,નાગરમોથા,ગીલોય નો ઉકાળો બનાવીને સેવન કરવાથી ભૂખ વધે છે અને તાવ માં પણ ફાયદો થાય છે.
અજીર્ણ :
* જો વહેલા સવારે અજીર્ણ (રાતનું ભોજન ન પચવું) ની શક્યતા હોય તો હરડે, સુંઠ તથા સિંધાલુ મીઠું નું ચૂર્ણ પાણી સાથે લો. બપોરે કે સાંજે થોડું ભોજન કરો.
* અજમો, સિંધાલુ મીઠું, હરડે,સુંઠ તેના ચૂર્ણને એક સરખા ભાગે એકઠા કરો. એક એક ચમચી રોજ સેવન કરો.
* આદુનો ૧૦-૨૦ મીલીલીટર રસમાં સરખે ભાગે લીંબુનો રસ ભેળવીને પીવરાવવાથી મન્દાગની દુર થાય છે.
ઉદર (પેટ) ના રોગ
સુંઠ, હરીતલી, બહેડા, આંબળા તેને સરખે ભાગે લઇ ઝીણા બનાવી લો. ગાયનું ઘી તથા તલ નું તેલ અઢી કિલોગ્રામ, દહીનું પાણી અઢી કિલોગ્રામ, આ બધાને મિલાવી વિધિ પૂર્વક ઘી નો પાક કરો, બની ગયા પછી ચાળીને મિકી દો, આ ઘી નું સેવન ૧૦ થી ૨૦ ગ્રામ ની માત્રામાં સવાર સાંજ કરવાથી તમામ પ્રકારના પેટના રોગો નો નાશ થાય છે.
ભૂ મૂત્ર :
આદુની બે ચમચી રસ માં મિશ્રી ભેળવીને સવાર સાંજ સેવન કરવાથી ફાયદો થાય છે.
બવાસીર ને કારણે થતા દર્દ માં :
દુર્લભા અને પાઠા, બેલ ના પલ્પ અને પાઠા ,અજમો અને પાઠા અથવા સુંઠ અને પાઠા તેમાંથી કોઈ પણ એક વસ્તુનું સેવન કરવાથી બવાસીર ને કારણે થતા દર્દો માં રાહત મળે છે.
મૂત્રક્રુછ (પેશાબ કરતી વખતે તકલીફ)
*સુંઠ, કટેલી ની ડાળી, બલામુલ, ગોખરું આ બધાને બે બે ગ્રામ પ્રમાણે તથા ૧૦ ગ્રામ ગોળ ને ૨૫૦ મીલીલીટર દુધમાં ઉકાળીને સવાર સાંજ પીવાથી મળ મૂત્ર વખતે થનાર દર્દ ઠીક થઇ જાય છે.
* સુંઠ વાટીને ચાળીને દુધમાં મિશ્રી ભેળવીને પિવરાવો.
નુકશાનકારક અસર (Harmful effects) આદુની પ્રકૃતિ ગરમ હોવાથી જે વ્યક્તિ ઓને ઉનાળાની ઋતુમાં ગરમ પ્રકૃતિનું ભોજન ન પચતું હોય તો, કુષ્ટ, પોલીઓ, રક્તપિત, ઘાવ, જવર, શરીરમાંથી લોહી નીકળવાની સ્થિતિ, મુત્રકુચ્છ, બળતરા જેવી બીમારીઓમાં તેનું સેવન ન કરવું જોઈએ.
લોહીની ઉલટી થતી વખતે અને ગરમી ની સીઝન માં આદુનું સેવન ન કરવું જોઈએ અને જો જરૂરિયાત હોય તો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.