મેકઅપ વગર દર્શન કરવા ગયેલી આ હિરોઈનને કોઈ ના ઓળખી શક્યું, કરી ચુકી છે હિટ ફિલ્મોમાં કામ

કોઈપણ છોકરી માટે તેની સુંદરતા સૌથી વધુ મહત્વ ધરાવે છે. દરેક ઈચ્છે છે કે તે સૌથી વધુ સુંદર દેખાય. બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં એવી અભિનેત્રીઓ રહેલી છે જે આકર્ષક દેખાવા માટે જાત જાતની સર્જરી કરાવી ચુકી છે. અને થોડી અભિનેત્રીઓ એવી પણ છે જે સુંદર દેખાવા માટે ઢગલાબંધ મેકઅપ લગાવે છે. તેમના ચહેરા ઉપર એટલા ખીલ અને ડાઘ ધબ્બા છે, કે તેને છુપાવવા માટે તેને મેકઅપની જરૂર પડે છે. જો તમે આ અભિનેત્રીઓને મેકઅપ વગર જોઈ લેશો તો તેમને ઓળખવી મુશ્કેલ થઇ જશે. જ્યાં થોડી અભિનેત્રીઓ મેકઅપ વગર એકદમ વિચિત્ર જોવા મળે છે અને ઘણી અભિનેત્રીઓ મેકઅપ વગર ઘણી વધુ સુંદર દેખાય છે. હાલમાં બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ જુહુ આવેલા એક મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. પરંતુ પ્રસિદ્ધ અભિનેત્રી હોવા છતાંપણ ત્યાં રહેલા લોકો તેને ઓળખી ન શક્યા. તે સિમ્પલ ટ્રેક ટોપ અને ટ્રાઉઝર પહેરીને મંદિરે ભગવાનના દર્શન કરવા આવી હતી.

ઘણી બદલાયેલી જોવા મળી અમીષા :

મંદિરમાં દર્શન કરવા આવેલી મનીષા મેકઅપ લુકમાં ન હતી. તેમણે કોઈ મેકઅપ કર્યો ન હતો અને આંખો ઉપર એક કાળા ચશ્માં પહેર્યા હતા. આ લુકમાં તેને ઓળખી શકવી ઘણું મુશ્કેલ થઇ રહ્યું હતું. તે મેકઅપ વગર એટલી બદલાયેલી જોવા મળી રહી હતી કે ત્યાં રહેલા લોકો પણ તેને ઓળખી શક્યા ન હતા. તે પોતે પણ પોતાનો ચહેરો સૌથી છુપાવવા માટે વારંવાર પોતાના વાળની પાછળ ચહેરાને ઢાંકતી જોવા મળી રહી હતી. અમીષા પટેલ એકલી મંદિરમાં દર્શન કરવા આવી હતી. તેની સાથે કોઈ ફેમીલી, ફ્રેન્ડ કે બોડીગાર્ડ રહેલા ન હતા. અમીષા ઘણા સમયથી કોઈ હીટ ફિલ્મમાં જોવા મળી નથી. તેમને બોલીવુડથી જાણે અંતર બનાવી લીધું છે. છેલ્લી વખત તે આપણને હાલમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘ભૈયા જી સુપરહિટ’ માં જોવા મળી હતી. ફિલ્મના નામમાં ભલે સુપરહિટ હોય પરંતુ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર ખરાબ રીતે ફ્લોપ થઇ હતી.

આ ફિલ્મથી કરી હતી શરુઆત :

અમીષાએ પોતાના અભિનય કેરિયરની શરુઆત ફિલ્મ ‘કહો ના પ્યાર હે’ થી કરી હતી. તે ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર સુપરહિટ થઇ હતી. ત્યાર પછી તે ‘ગદર : એક પ્રેમ કથા’ માં જોવા મળી. તે ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઇ હતી. ત્યાર પછી તે ‘હમરાઝ’ ફિલ્મમાં જોવા મળી જેમાં દર્શકોએ તેના કામની પ્રશંસા કરી હતી. પરંતુ ત્યાર પછી તેના કેરિયરનો ગ્રાફ નીચે જ ઉતરતો ગયો. સુંદર અને ટેલેન્ટેડ હોવા છતાંપણ તેને સારી ફિલ્મો મળી રહી ન હતી. તેવામાં તેણે ‘આપ મુઝે અછે લગને લગે’, ‘સુનો સસુર જી’, ‘તથાસ્તુ’, ‘થોડા પ્યાર થોડા મેઝીક’, ‘ભૂલ ભુલૈયા’, ‘રન ભોલા રન’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ તે બધી ફિલ્મો કોઈ વિશેષ કમાલ ન કરી શકી.

ઘરવાળા ઉપર લગાવ્યો આરોપ :

પ્રસિદ્ધ અને સફળ થયા પછી અમીષાએ પોતાના ઘરવાળા ઉપર માનસિક ત્રાસ અને એકાઉન્ટમાં પૈસાની હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો. અમીષાનું અફેયર બોલીવુડના પ્રસિદ્ધ ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ક્રીનરાઈટર વિક્રમ ભટ્ટ સાથે ચાલતું હતું. તે દરમિયાન વિક્રમ ભટ્ટ પરણિત હતા અને બન્નેના અફેયરના ઘણા સમાચારો બહાર આવ્યા હતા.