અકબર હંમેશા માન સન્માન, ગર્વ અને માન મોભાથી જીવનારા રાજા કહેવાતા હતા. તેવામાં તેને કોઈની સામે પણ માથું નમાવવાનું પસંદ ન હતું. તેની પાછળ પણ એક મોટું કારણ છુપાયેલ છે. આમ તો બાદશાહ અકબરને પોતાની આબરૂ ઘણી વ્હાલી હતી, તેમ છતાપણ તમને જાણીને નવાઈ થશે કે તેમણે પોતાની ત્રણ દીકરીઓને જીવનભર કુંવારી રાખેલ.
અકબરે નહોતા કર્યા દીકરીઓના લગ્ન :
જ્યારે અકબરની દીકરી યુવાન થઇ અને લગ્ન ને લાયક થઇ તો વિચાર્યું કે તેમને તેમણે તેમની દીકરીઓના લગ્ન કરવા માટે વરરાજા અને તેમના પિતાની સામે નમવું પડશે. તેવામાં અકબરે પોતાના ગર્વ અને પોતાના માન સન્માન જાળવી રાખવા માટે પોતાની ત્રણે દીકરીઓને જીવનભર કુંવારી રાખી.
પોતાનું સન્માન આવી ગયું આડુ :
જેથી તેમને ભવિષ્યમાં ક્યારે પણ કોઈની સામે નમવું ન પડે. એટલે અકબરની ત્રણે દીકરીઓ જીવનભર અકબરની સાથે તેમના મહેલ માં રહી હતી. માત્ર એટલું જ નહિ તે ઉપરાંત અકબરની ત્રણે દીકરીઓના બેડરૂમમાં કોઈપણ પુરુષને જવા સુધીની પરવાનગી ન હતી. એટલા માટે તો તેમની સુરક્ષા માટે માત્ર કિન્નરોની સેના જ રાખવામાં આવતી હતી.
વંશજોએ પણ કર્યું આ નિયમનું પાલન :
માત્ર અકબર જ નહિ તેમના વંશજોએ પણ આ નિયમનું પાલન કરેલ અને જીવનભર પોતાની દીકરીઓને કુંવારી રાખી. જો આપણે આજના સમયની વાત કરીએ તો આજે કદાચ કોઈ પિતા એવા હશે જે જીવનભર પોતાની દીકરીઓને ઘરે બેસાડી રાખે કે તેની જવાબદારી ઉપાડે. પણ ઈતિહાસમાં બાદશાહ અકબરે પોતાની દીકરીઓ માટે જે નિર્ણય લીધો હતો, તે તેમની દીકરીઓએ ચુપચાપ માની લીધો.