શ્વાસ લેવામાં તકલીફ થવાને અસ્થમા કહે છે. કોઈ વસ્તુની એલર્જી કે પદુષણ ને કારણે લોકોમાં આ તકલીફ સામાન્ય જોવા મળે છે. અસ્થમા ને કારણે ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને નાકમાંથી અવાજ જેવી તકલીફ જોવા મળે છે. આમ તો લોકો આ તકલીફથી છુટકારો મેળવવા માટે હોમિયોપેથી દવાઓ નું સેવન કરે છે પણ થોડા ઘરગથ્થું ઉપાયો દ્વારા પણ આ તકલીફ માં રાહત મેળવી શકાય છે અને અસ્થમા ને દુર કરવામાં આવી શકે છે.
અસ્થમાને દુર કરવા માટે સુકી મેથી :
મેથીને પાણીમાં ઉકાળીને તેમાં મધ અને આદુ નો રસ ભેળવીને રોજ પીવો. તેનાથી અસ્થમાની તકલીફ માંથી રાહત મળશે.
અસ્થમાને દુર કરવા માટે આંબળા પાવડર :
2 ચમચી આંબળા પાવડર 1 ચમચી મધ ભેળવીને સવારે ખાલી પેટ સેવન કરો. રોજ તેનું સેવન અસ્થમા ને કન્ટ્રોલ કરે છે.
અસ્થમાને દુર કરવા માટે પાલક અને ગાજર :
પાલક અને ગાજર નો રસ ભેળવીને રોજ પીવાથી પણ અસ્થમા ની સમસ્યા દુર થાય છે.
અસ્થમાને દુર કરવા માટે મોટી ઈલાયચી :
મોટી ઈલાયચી, ખજુર અને દ્રાક્ષને સરખા ભાગે વાટીને મધ સાથે ખાવ. તેનું સેવન અસ્થમા ની સાથે જૂની ખાંસીને પણ દુર કરે છે.
અસ્થમાને દુર કરવા માટે સુંઠ :
સુંઠ, સિંધાલુ મીઠું, જીરું, શેકેલી હિંગ અને તુલસી ના પાંદડા ને વાટીને 100 મી.લી. પાણીમાં ઉકાળી લો. તેને પીવાથી અસ્થમા ની તકલીફ દુર થઇ જાય છે.
અસ્થમાને દુર કરવા માટે તમાલપત્ર :
તમાલપત્ર અને પીપરના પાંદડા 2 ગ્રામ પ્રમાણમાં વાટીને મુરબ્બા ની ચાસણી સાથે ખાવ. રોજ તે ખાવાથી અસ્થમા ને થોડા સમયમાં જ દુર થઇ જશે.
અસ્થમાને દુર કરવા માટે અંજીર :
અંજીરના 4 દાણા રાત્રે પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટ તેને વાટીને ખાવાથી અસ્થમા સાથે કબજિયાત દુર થઇ જાય છે.
અસ્થમા વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> ૧૦ દિવસમાં અસ્થમા મૂળમાંથી મટી જશે કરો અસ્થમા નો ઘરેલું આયુર્વેદિક ઈલાજ
દમ ની બીમારીને બે ભાગમાં વહેચી શકાય છે. નિશ્ચિત અને અનિશ્ચિત, નિશ્ચિત પ્રકારના દમના રોગમાં શ્વાસમાં તકલીફ એલર્જીને કારણે થાય છે. જયારે અનિશ્ચિત માં પરિશ્રમ, ઋતુ નો પ્રભાવ કે અનુવાંશિક પ્રવૃત્તિ ને કારણે થાય છે. અસ્થમા ક્યારેય ઠીક નથી થઇ શકતો. પરંતુ ઘણા પ્રકારની સારવાર દ્વારા તેના લક્ષણો ને નિયંત્રણ માં લાવી શકાય છે કે ઠીક રાખવાનો પ્રયત્ન કરી શકાય છે. દમ વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> અસ્થમા કે દમ છે તો નાં થશો પરેશાન તમારી મુશ્કેલી નું સમાધાન છે તમારા ઘરના રસોડામાં
અસ્થમા ને દુર કરવા માટે થોડા સરળ પ્રયોગો ની જાણકારી વાળો લેખ તમને સારો અને લાભદાયી લાગ્યો હોય તો મહેરબાની કરીને લાઈક અને શેયર જરૂર કરશો. તમારા એક શેયર થી જ કોઈ જરૂરવાળા સુધી સાચી જાણકારી પહોચે છે અને અમને પણ તમારા માટે વધુ સારા લેખ લખવાની પ્રેરણા મળે છે. આ લેખ ને લગતા તમારા કોઈ સુચન હોય તો મહેરબાની કરીને પેજ ના મેસેજ ના માધ્યમથી અમને જરૂર સુચન કરશો.
ફેસબુક ઉપર હેલ્થ, અજબ-ગજબ, હાલના બનાવ, ટી ટીપ્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી બાબતો તમારા માટે લાવતા રહીશું.