આ સામાન્ય ખાંસી નથી. તે ફેફસા સાથે જોડાયેલ નળીમાં સોજો Bronchitis આવવાથી થાય છે. તે બે પ્રકારની હોય છે- પ્રચંડ બ્રોકાઈટીસ અને જૂની બ્રોકાઈટીસ.
પ્રચંડ બ્રોકાઈટીસ :
તે વાયરસ કે જીવાણુંઓથી થાય છે. શ્વાસ નળીમાં સોજો Bronchitis આવી જાય છે. કફ વધુ પ્રમાણમાં રહેવાથી થાય છે.
લક્ષણ :
શ્વાસ લેવામાં તકલીફ Bronchitis હોય છે અને સીટી વાગવા જેવો અવાજ આવે છે. તાવ પણ આવી જાય છે. સારવાર કરવા છતાં પણ ૭ થી ૨૧ દિવસમાં ઠીક થઇ જાય છે.
જૂની બ્રોકાઈટીસ Chronic Bronchitis :
જૂની બ્રોકાઈટીસ Chronchiris ગંભીર બીમારી છે. તે સતત ધ્રુમપાન કરનારા ને થાય છે. વારંવાર ચેપ રહેવાથી શ્વાસ નળી મોટી થઇ જાય છે અને તેમાં અડચણ ઉભી થઇ જાય છે. શરદી જુકામ માં આ ખુબ જ પીડાદાયક હોય છે.
કારણ :
તેનું મુખ્ય કારણ ધ્રુમપાન છે. ખાસ કરીને ધ્રુમપાન કરનારાને પણ આ રોગ થઇ શકે છે.
લક્ષણ :
ખાસ કરીને ખાંસીનો જોરદાર મારો શરુ થાય છે, કફ આવે છે. હ્રદયનો હુમલો પડવાની શક્યતા પણ થઇ જાય છે.
ઉપચાર Chronic Bronchitis Treatmment :
(૧) દરેક પ્રકારની ખાંસી અને બ્રોકાઈટીસ ના ઈલાજ માટે જરૂરી છે કે ધ્રુમપાન બિલકુલ બંધ કરી દેવું જોઈએ.
(૨) સરગવાના પાંદડાનું સૂપ બનાવીને પીવાથી શ્વાસ સાથે જોડાયેલ દમ, બ્રોકાઈટીસ અને તપેદિક વગેરે રોગોમાં લાભ થાય છે.
(૩) લસણની ૩-૪ કળીઓ દુધમાં ઉકાળીને રાતે સુતા સમયે પીવાથી શ્વાસ નળીને આરામ મળે છે.
(૪) આદુના એક ચમચી રસમાં, મેથીનો એક કપ રાબ બનાવીને તેમાં મધ ભેળવીને પીવાથી શ્વાસ ને લગતા બધા રોગોમાં લાભ થાય છે. બ્રોકાઈટીસ અને કુકર ખાંસીના કફ સરળતાથી નીકળવા લાગે છે.
(૫) લવિંગના તેલના ચાર પાચ ટીપા મધ ભેળવીને લસણની એક કળીને સાથે ચાવીને ખાવી અને ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી પણ બ્રોકાઈટીસ માં ફાયદો થાય છે. તે રાત્રે સુતા પહેલા દિવસમાં એક વખત લેવું ઘણું છે. પાચ છ લવિંગ પાણીમાં ઉકાળીને, થોડું મધ ભેળવીને, એક દોઢ ચમચીના પ્રમાણમાં દિવસમાં ત્રણ વખત લેવાથી કફ સરળતાથી નીકળે છે. તેનાથી બ્રોકાઈટીસના રોગીઓને ઘણો ફાયદો થાય છે.
(૬) ત્રણ ગ્રામ તુલસીના પાંદડાના રસમાં, છ ગ્રામ સાકર અને ત્રણ ચાર કાળા મરી ભેળવીને ઉપયોગ કરવાથી છાતીનું અકડાઈ જવું દુર થઇ જાય છે અને ખાંસીમાં લાભ થાય છે.