કેન્સર આજકાલ ખુબ ભયાનક રોગ થઇ ગયો છે, જેટલા લોકો અત્યાર સુધી અતંકવાદી હુમલામાં નથી મર્યા એનાથી વધુ લોકો રોજ કેન્સરથી મરી જાય છે. એટલે કે ખુબ ગંભીર સમસ્યા છે. એક આંકડા મુજબ કુલ મળીને 12 ટકા મૃત્યુ સીધે સીધા કેન્સરના લીધે જ થાય છે.
તેવામાં આયુર્વેદ અને કુદરતી ઈલાજની પદ્ધતિથી ન ફક્ત કેન્સરના વધારાને રોકી શકાય છે પણ તેને મૂળમાંથી દુર પણ કરી શકાય છે. તે પણ કોઈ આડ અસર વગરની. અસંખ્ય લોકોએ આ પદ્ધતિ અપનાવીને પોતાનું જીવન બચાવ્યું છે. તમે પણ તે અપનાવીને તમારું જીવન બચાવી શકો છો.
તો આજે અમે આવી જ થોડી ઘરેલું ઔષધિઓ ઉપર ચર્ચા કરીશું જેને તમે તમારા નિયમિત દિનચર્યામાં ઉમેરો કરીને તેની સામે રક્ષણ મેળવી શકો છો અને જો તમે આ રોગના દર્દી છો તો તેને ઘરે જ સફળ ઈલાજ કરી શકો છો.
કેન્સર કિલર : હળદર – ગૌમૂત્ર – પુનર્નવા .
હળદરમાં એક તત્વ મળી આવે છે જેના કરકયુંમીન કહેવામાં આવે છે જે કેસરને રોકવામાં રામબાણ છે. જો તમને કેન્સરનો ભય છે કે તેની શરૂઆત પણ થઇ ગઈ છે તો તમે ગભરાશો નહી તમે સતત હળદરનું સેવન તમારા ભોજનમાં કરો.
90% દર્દી કેન્સરથી નથી મરતા પણ તેના ઈલાજથી મરી જાય છે તે એક આશ્ચર્યજનક સત્ય છે. જો કોઈ દર્દીએ પોતાના કામ કરાવવાના શરુ કરી દીધા છે તો પછી તેનું સામાન્ય થવું ખુબ મુશ્કેલ થઇ જાય છે.
તેવામાં તમે ભારતીય ગૌમૂત્ર, હળદર અને પુનર્નવા ને ભેળવીને દર્દીને આપી દો. એક કપ ગૌમૂત્રમાં એક ચમચી હળદર અને અડધી ચમચી પુનર્નવા ભેળવીને ધીમા તાપ ઉપર ગરમ કરો. જયારે તેમાં ઉભરો આવી જાય તો તેને ગાળીને ઘૂંટડે ઘૂંટડે પી લો. તે કેન્સર માટે ખુબ સારી ઔષધી છે.
કેન્સરના ઘા ને ઠીક કરવા માટે – હળદર – ગલગોટા ના ફૂલ – ગૌમૂત્ર
દેશી ગાયનું મૂત્ર લો(ખાદીના આઠ પડ કપડામાં ગાળી લો) હળદર અને ગેંદાના(ગલગોટા) ફૂલ લો. ગેંદાના ફૂલના પીળા કે નારંગી પાંખડીઓ કાઢીને પછી તેમાં હળદર નાખીને ગાય મૂત્ર નાખીને તેની ચટણી બનાવવાની છે.
હવે ઘા નો ભાગ જેટલો મોટો હોય તેની સાઈઝ મુજબ ગેંદાના ફૂલની સંખ્યા નક્કી થશે, માનો કે ઘા નાના ભાગમાં છે તો એક ફૂલ, વધુ છે ઘા મોટો છે તો બે, ત્રણ, ચાર હિસાબે લેવાનું છે. તેની ચટણી બનાવીને તે ચટણી ને લગાવવાની છે. જ્યાં પણ બહારથી ખુલ્લો ભાગ છે જેમાંથી લોહી નીકળી ગયું છે અને ઠીક થતું નથી. કેટલી પણ દવા ખાવ પણ ઠીક થતું નથી તેનું કારણ છે હાઈબેટીસ બીજું કોઈ જેનેટિક કારણ પણ હોઈ શકે છે.
તેને દિવસમાં ઓછામાં ઓછું બે વખત લગાવવાનું છે જેમ કે સવારે લગાવ્યા પછી રૂ વાળો પાટો બાંધી દેવાથી તેની અસર શરીરમાં રહે. અને સાંજે જયારે બીજો પાટો બાંધો તો પહેલા વાળો ધોવો પડશે. તેને ગૌમૂત્રથી ધોવાનું છે ડેટોલ જેવાનો ઉપયોગ ન કરશો. ગાયના મૂત્રને ડેટોલની જેમ ઉપયોગ કરો. ધોયા પછી ફરી વાર ચટણી લગાવી દો. પછી બીજા દિવસે સવારે કરી દેશો.
તે એટલું અસરકારક છે કે તમે વિચારી નથી શકતા જોશો તો ચમત્કાર જેવું લાગશે.
કેન્સર માટે પપૈયા ના પાંદડા :
પપૈયા ના પાંદડાની અંદર Papain Enzame મળી આવે છે જે કેન્સર કોશિકાઓને ઉપર થતા પ્રોટીન કોટિંગનો નાશ કરી દે છે. જેનાથી કેન્સર કોશિકાઓ આપણા ઈમ્યુનની સાથે સીધા સંપર્કમાં આવી જાય છે અને ધીમે ધીમે કેન્સરની કોશિકાઓ નાશ થવા નું શરુ થાય છે.
તમે પપૈયા ના પાંદડાને સુકવીને તેનો પાવડર બનાવી લો આ પાવડરને બે ગ્લાસ પાણીમાં એક ચમચી નાખીને સારી રીતે ગરમ કરો જયારે ચોથા ભાગનું રહી જાય તો તેનું સેવન સવાર સાંજ કરો. તેમ જ તેનો રસ પણ નિયમિત સેવન કરી શકો છો.
દ્રાક્ષથી કેન્સરનો ઈલાજ :
દ્રાક્ષના બી માં એક ખાસ પ્રકારનું એન્ટીઓક્સીડેંટ Resveratrol મળી આવે છે જે કેન્સર કોશિકાઓને નાશ કરી શકે છે. ખાસ પ્રકારના બ્લડ કેન્સરમાં ખુબ અસરકારક હોય છે એક લેબોરેટરીમાં થયેલ શોધમાં જાણવા મળ્યું કે દ્રાક્ષના બી 24 કલાકમાં લગભગ 76% બ્લડ કેન્સરની કોશિકાઓને નાશ કરી શકે છે તો કેન્સરના રોગીઓ દ્રાક્ષનો રસ જરૂર પીવો.
તુલસીથી કેન્સરનો ઈલાજ :
કેન્સરના રોગીઓ સવારે ખાલી પેટ 21 પાંદડા તુલસીના એની ચટણી બનાવીને રોજ આપો, તેને તમે સદાબહારના પાંદડા સાથે પણ મિક્ષ કરીને આપી શકો છો.
સદાબહારથી કેન્સરનો ઈલાજ :
સદાબહાર જેને બારમાસી કહે છે તેના પાંદડામાં vincristine અને vinblastine મીઠું રસાયણ મળી આવે છે જે કેન્સર કોશિકાઓને નાશ કરી શકે છે માટે કેન્સરના દર્દીઓ માટે સદાબહારના 11 પાંદડાની ચટણી બનાવીને સવાર સાંજ જરૂર સેવન કરાવવું.
બદામ કેન્સરનો ઈલાજ :
બદામમાં વિટામીન ‘બી17’ મળી આવે છે જે કેન્સરની કોશિકાઓને નાશ કરી શકે છે તો કેન્સરના રોગીઓએ દિવસમાં 5 થી 10 બદામનું સેવન જરૂર કરવું જોઈએ.
કોબીનાં રસથી કેન્સરનો ઈલાજ :
કોબીમાં મળી આવતા flavanoid પણ કેન્સર કોશીકોની પ્રગતિને ઓછી કરીને કેન્સર કોશિકાઓને નાશ કરી શકે છે તમે કોબીને સાફ કરીને ઉપયોગ કરો.
લીંબુથી કેન્સરનો ઈલાજ :
લીંબુમાં લગભગ 22 પ્રકારના anticamcer રસાયણ મળી આવે છે જે કેન્સર કોશિકાઓને નાશ કરી શકે છે. તેવામાં તેનો સીધો રસ ન કાઢીને તેને છોતરા સહિત પહેલા ફ્રીજમાં મૂકી દો. જયારે તે એકદમ બરફ જેવું જામી જાય તો તેના ટુકડા કરીને પાણીમાં નાખીને પી લો. છોતરા સાથે પીવાનું છે આ.
અળસીથી કેન્સરનો ઈલાજ :
અળસીમાં Lignan, Omega 3 fatty acid મળી આવે છે જે કેન્સરની કોશિકાઓના જથ્થાને રોકવામાં ઘણું ઉપયોગી છે, અળસીને તરત વાટીને દહીંમાં ભેળવીને તેનું સેવન કરો. ધ્યાન રાખશો કે અળસીને વાટીને રાખી મુકવાની નથી, દહીંમાં ભેળવતી વખતે જ તેને વાટવાની છે.(પહેલે થી વાટેલી તૈયાર નાં રાખતા)
મીઠા સોડા-બેકિંગ સોડાથી કેન્સરનો ઈલાજ :
મીઠા સોડામાં Alkaline Property હોવાને લીધે તે શરીરમાં એસિડના સ્તરને ઓછું કરીને Alkaline ને વધારે છે જેનાથી કેન્સરની કોશિકાઓના જથ્થો એટકી જાય છે. એસીડીક માહોલમાં જ કેન્સરનો જથ્થો થાય છે અને તેના વિરુદ્ધ શરીરને એલ્કલાઈન કરીને તેને બચાવે છે.
પનીર અને અળસીનું તેલ :
દેશી ગાયના દુધને ફાડીને પનીર બનાવી લો. 100 ગ્રામ અળસીનું તેલ ભેળવીને બન્નેને એક જેવા કરી લો. તેલ જોવા ન મળવું જોઈએ. બધું પનીરમાં મિક્ષ કરી લો. અને તેને સવારે નાસ્તામાં લેવું જોઈએ. આ કેન્સરના દર્દીઓ માટે ખાસ ડાયટ છે જે કેન્સરનો નાશ કરવામા ખુબ ઉપયોગી છે.
અશ્વગંધાથી કેન્સરનો ઈલાજ :
કેન્સરના તે રોગી જેને નબળાઈ, ઉલટી, ઉબકા, દુઃખાવો, થાક વગેરે છે તેમને રોજ 5 થી 10 ગ્રામ અશ્વગંધાનું સેવન કરવું જોઈએ.
ગાજરના રસથી કેન્સરનો ઈલાજ :
કેન્સરના રોગીઓ ગાજરની સિઝનમાં ગાજરનો રસ જરૂર પિવરાવો. તેમાં બીટા કોરોટીન મળી આવે છે જે પણ કેન્સર કોશિકાઓને નાશ કરે છે.
કેન્સર રોગીઓની ખાસ ચા :
એક ગ્લાસ પાણીમાં 5 ગ્રામ આદુ વાટીને તેમાં એક ગ્રામ તજ. કળા મરી, લવિંગ વગેરે ભેળવીને તેને ચા ની જેમ ઉકાળો જયારે તે અડધું રહી જાય તો તેને ગાળીને પી લેવું.