સુરત મોટા વરાછા લાજામણી ચોક રહેતા મયુર ભાલાળા એ સનરાઈઝ કોમ્પ્લેક્ષ ૩૦૬ ત્રીજા માળે માટી અને ગાય નાં છાણ નું લીંપણ કરાવ્યું છે. પણ આપળે આના વૈજ્ઞાનિક ફાયદા જાણવાના છીએ તો ચાલો જાણીએ એ ફાયદા જે આપડા વડવાઓ જાણતા હતા પણ આપળે તેનાથી અજાણ છીએ
સિમેન્ટ ની શોધ થયા પહેલા આપણે બધા છાણ અને માટીથી લીપેલા જુના ઘરમાં રહેતા હતા પણ આજે છાણ નું નામ સાંભળતા જ યુવાન પેઢી શરમ અનુભવે છે, પણ આજે આપણે છાણ અને માટી થી બનેલા ઘરો પર થયેલા વૈજ્ઞાનિક રીસર્ચ ની વાત કરીશું.
આવો સમજીએ આપડા વડવાઓ ગાર માટી ના ઘરો મા રહેતા ત્યારે કેમ ખુબ સુખી અને આનંદિત હોતા?
તે કાચા ઘરોમાં શું હતું કે વસ્તી ઓછી હોવા છતાં, તે વખતે દરેક વસ્તુ મોટાભાગે માટી અને લાકડાની હોતા અને માટીને પકવવાનું જ્ઞાન હોવા છતાં પણ આપણા વડવાઓએ માટીના વાસણ બનાવ્યા અને પકાવીને ઉપયોગ કર્યો પણ ઈંટ પકવીને તેના થી ઘર ન બનાવ્યા જો કે ઈંટ પકવવી વાસણ બનાવીને પકાવવા કરતા ઘણું સરળ હતું.
નંબર એક. બધાને ખબર હશે કે જીવન હાર્મોન્સ નો ખેલ છે અને સનાતન સત્ય છે કે દરેક પ્રાણી માત્ર આનંદમાં રહેવા માંગે છે. તે આનંદ આપવા વાળા રસાયણ(હાર્મોન) છે સેરોટીનીન. આ રસાયણ આપણા મસ્તિકમાં બને છે અને આપણ ને ખુશ અને શક્તિશાળી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
નંબર બે એક બીજું રસાયણ છે Negative ion.(નેગેટિવ આયન) આ બીજું કઈ નથી પણ ઓક્સીજન છે જે એક વધારાનું ઇલેક્ટ્રોનનો હોય છે. મોટા મોટા આ બે જ રસાયણ છે જેનો આનંદનો, હર્ષ, સારા મુડ ની સાથે સીધો સબંધ છે.
આમ તો જોવામાં આવે તો સંસારના દરેક ભાગમાં હવા ની કોમ્પોઝીશન લગભગ એક જ છે. તે ૨૦.૯૫% ઓક્સીજન છે પણ જો તેમાં નેગેટિવ ઈયોન નું પ્રમાણ વધુ હોય તો તે એકદમ આપણને તાજામાજા કરી દે છે, મૂળ ફ્રેશ કરી દે છે. તે negetive ion વાળી હવા મગજમાં સેરોટેનિન લેવલ વધારી દે છે.
પણ હવે સવાલ થાય છે કે આ હવા મળે ક્યાં?
આ હવા મળે છે સવાર સાંજ ખેતરોમાં, નદી નાળા અને ઝરણાની આજુબાજુ. પહાડોમાં, જંગલોમાં, અને અને જી હા બીજી આપણી માટી અને છાણથી લીપેલા ઘરોમાં.
સવારના સમયે ખેતરો અને બગીચામાં આ negetive ion(નેગેટિવ આયન ) ૪૦૦૦ પર ક્યુબિક સેન્ટિમીટર હોય છે જો કે ઝરણા અને વરસાદ પછીની હવામાં એક લાખ પર ક્યુબિક સેન્ટિમીટર સુધી પહોચી જાય છે. જો કે કોઈ કોમ્પ્યુટર રાખેલા રૂમમાં આ માત્ર ૬૦૦ સુધી રહી જાય છે. પણ જયારે તે રૂમની અર્થેન પ્લાસ્ટરિંગ કરી દઈએ મીન્સ લીંપી દઈએ છીએ તો ત્યાં એ નેગેટિવ આયન લગભગ ૨૧૦૦ સુધી પ્રતિ ઘન સેન્ટીમીટર સુધી મળી આવે છે. કહેવાનું અને સમજવું સમજાવવાનો અર્થ એ છે કે આપણા પૂર્વજો આ વિજ્ઞાનને જાણતા હતા, તેથી જ તે કાચા અને છાણ માટીથી લીપેલા ઘરોમાં રહેતા હતા. ખુશ રહેતા હતા, સ્વસ્થ રહેતા હતા.
આપણે પણ જો ઓછા ખર્ચમાં સ્વસ્થ અને ખુશ રહેવું હોય તો આપણા પૂર્વજો ની પદ્ધતિ અપનાવવી પડશે નહી તો બજારની કંપનીઓ ionizer વેચે છે તે ખરીદી ને વીજળી ફૂંકથી નેગેટિવ આયન બનાવવી પડશે. ઈચ્છા તમારી છે.
ડૉ. શિવ દર્શન મલિક
વૈદિક ભવન રોહતક (હરિયાણા)
vedicplaster. com
મો. – ૯૮૧૨૦૫૪૯૮૨
એક લીંપણ જેવું જ દેસી ગાય નાં છાણ માંથી બનાવેલું તૈયાર પ્લાસ્ટર પણ આવે છે તેના વિષે જાણવા ક્લિક કરો >>>> નવું આધુનિક લીંપણ જે કરે છે ઘરને જીવાણું, કીટાણું અને રોગાણું મુક્ત. જાણો વૈજ્ઞાનિક રીસર્ચ