૯૦ ના દશકામાં દરેક રવિવારને આ કારણથી પણ મહત્વનો ગણવામાં આવતો હતો, કે તેની શરૂઆત ઘણી સારી થતી હતી, અને સવારના સમયે લોકો એક ખાસ સીરીયલની રાહ જોતા હતા. તે હતી ‘શ્રી કૃષ્ણ’. આ સીરિયલે લોકોના માનસ ઉપર એવી છાપ પાડેલ હતી કે તેના દરેક પાત્ર લોકોના મગજ ઉપર છવાઈ ગયા હતા. તે પાત્રો માંથી એક હતું ભગવાન કૃષ્ણનું પાત્ર જે ભજવેલુ હતું કલાકાર સર્વદમન ડી. બનર્જી એ.
ભગવાન શ્રી કૃષ્ણના પાત્રમાં સર્વદમન ડી. બનર્જીને એવી રીતે જાણીતા બનાવી દીધા હતા, કે રીયલ લાઈફમાં કૃષ્ણ બનેલા આ કલાકારને કોઈએ રીયલ કૃષ્ણ તરીકે જોયા તો ઘણે તેની પૂજા પણ કરી. પણ વાત તો એ છે, કે આટલી લોકપ્રિયતા મેળવ્યા છતાં પણ સર્વદમન બનર્જી અચાનક ગ્લેમર દુનિયા માંથી દુર થઇ ગયા, અને હવે તેમના વિષે જે વાત જાણવા મળેલ છે કે તે ઘણી નવાઈ પમાડનારી વાત છે.
અને અમે તમને તે જણાવવા જઈ રહ્યા છીએ કે પોપ્યુલર કલાકાર આજકાલ શું કામ કરી રહેલ છે? જે જાણીને ખરેખર તમને તેની ઉપર ગર્વ થશે.
ટીવી પછી આપેલ હતું ફિલ્મો તરફ ધ્યાન :
ખાસ કરીને શ્રી કૃષ્ણ પછી સર્વદમન બનર્જીને ઘણા પ્રકારની સારી ઓફર થયેલી જેમાં તે જોવા મળેલા, જેવી કે ‘અર્જુન’, ‘જય ગંગા મૈયા’ અને ‘ઓમ નમઃ શિવાય’. આ બધામાં સર્વદમન ડી. બનર્જીએ ભગવાન કૃષ્ણનું જ પાત્ર કરેલ.
દરેક સીરીયલમાં શ્રીકૃષ્ણ બનવાનું મુખ્ય કારણ એ હતું, કે તે સમયે માત્ર એક જ એવો વ્યક્તિ હતો જે આ ભૂમિકામાં સારી રીતે ફીટ બેસતા હતા. ટેલીવિઝન શો કર્યા પછી સર્વદમન ડી બનર્જીએ મોટા પડદા તરફ ધ્યાન કર્યું. તે દરમિયાન તેને સ્વામી વિવેકાનંદ, સ્વયં કૃષિ વગેરે શંકરાચાર્ય જેવી ધાર્મિક ફિલ્મોમાં કામ કરેલ.
જેમાં આદી શંકરાચાર્ય માટે તેમણે નેશનલ એવોર્ડ મળેલ પણ છતાં પણ ફિલ્મ ક્ષેત્રમાં તેમણે ખાસ સફળતા મળી ન શકી, અને તેને લઈને તેમણે ફિલ્મ જગતથી અંતર રાખવાનું શરુ કરી દીધું. અને છેવટે તેમણે ગ્લેમર ઇન્ડસ્ટ્રી છોડી દીધી.
ગ્લેમરની દુનિયા છોડીને પહાડોમાં લોકોને શીખવી રહેલ છે યોગ :
આજે સર્વદમન ડી બનર્જી ફિલ્મી ઝાકમઝોળથી દુર ઋષિકેશમાં છે અને ત્યાં લોકોને મેડીટેશન શીખવે છે. ગયા વર્ષે આપેલ એક ઈન્ટરવ્યુંમાં સર્વદમન ડી. બનર્જીએ તેનો ઉલ્લેખ કરેલો હતો, કે તેમણે ફિલ્મો અને ટીવીની દુનિયા કેમ છોડી?
સર્વદમન ડી. બનર્જીએ કહ્યું હતું કે, ‘મેં ‘કૃષ્ણ’ કરતી વખતે નક્કી કરી લીધું હતું કે હું ૪૫-૪૭ વર્ષની ઉંમર સુધી જ કામ કરીશ અને ત્યાર પછી જીવનને લગતા થોડા કામ કરીશ. બસ પછી મને મેડીટેશન મળી ગયું અને હવે હું છેલ્લા ૨૦ વર્ષથી તે કરી રહેલ છું.
ગરીબ બાળકો અને અસહાય મહિલાઓને ‘પંખ’ દ્વારા કરી રહેલ છે મદદ :
મેડીટેશન ઉપરાંત સર્વદમન ડી. બનર્જી પંખ નામની એક એનજીઓને પણ સપોર્ટ કરી રહેલ છે, જે ઉત્તરાખંડમાં પછાત વિસ્તારમાં રહેનારા લગભગ ૨૦૦ બાળકોને રોજગારી મેળવવામાં મદદ કરી રહેલ છે. ગરીબીમાં રહેનારા ૨૦૦ બાળકોને મફત શિક્ષણ આપવામાં મદદ કરી રહેલ છે.
તે ઉપરાંત તે એનજીઓ ત્યાની શોષિત મહિલાઓને રોજગારી મેળવવાની કળા શીખવી રહેલ છે. આ કામ ખરેખર વખાણવા લાયક છે. જે સંતુષ્ટિ સર્વદમન ડી. બનર્જીને અભિનય કરવામાં ન હોતી મળતી તે કદાચ આ કામમાં જરૂર મળી રહેલ હશે. સર્વદમન ડી. બનર્જી પોતાના જીવનમાં શાંત રહેવા માંગે છે, તે ગ્લેમરની દુનિયાથી દુર રહેવા માંગે છે.