જવ નાં પાણી પીવાના 6 ફાયદા તો તેના અનાજના 25 ફાયદા થાય છે જે જાણીને તમે ચકિત રહી જશો

જવ શાંત અને ઠંડા હોય છે. જૌ એક અનાજ છે. તે અનાજની રીતે ફાયદાકારક હોવાની સાથે સાથે એનું પાણી પણ આપણા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે. તે ઘણી બીમારીઓથી કાયમી છુટકારો અપાવે છે તેનાથી ઘણી બીમારીઓ થવાનો ભય પણ ખુબ ઓછો થઇ જાય છે.

જવ ની એક જંગલી જાતી પણ હોય છે. તે જાતિના જૌ નો ઉપયોગ યુરોપ, અમેરિકા, ચીન, જાપાન વગેરે દેશોમાં ઔષધી બનાવવામાં ઉપયોગ થાય છે. જવ ને શેકીને, વાટીને, તેના લોટમાં થોડું મીઠું અને પાણી ભેળવીને સત્તુ (એક પ્રકાર નું પીણું) બનાવવામાં આવે છે. ઘણા લોકો સત્તુમાં મીઠાની જગ્યાએ ગોળ નાખે છે અને સત્તુમાં ઘી અને સાકર ભેળવીને ખાવામાં આવે છે. જવ બીમાર લોકો માટે ઉત્તમ પથ્ય છે. જવ માં થી લેક્ટિક એસીડ, શૈલીસીલીક એસીડ, ફાસ્ફોરીક એસીડ, પોટેશિયમ અને કેલ્શિયમ મળી રહે છે. જવ માં ઓછા પ્રમાણમાં કૈરોટીન પણ છે. મશહુર મલટાઈન કાડલીવર નામની દવામાં જૌ નો ઉપયોગ થાય છે.

આજકાલના સમયમાં દરેક અનિયમિત ખાવા પીવાનું અને ખરાબ દિનચર્યા ને લીધે આરોગ્ય ને લગતી તકલીફોમાંથી પસાર થઇ રહ્યા છે. જો થોડું પણ પોતાનું ઘ્યાન રાખે તો ઘણી તકલીફોમાંથી છુટકારો મેળવી શકાય છે. જેનું સેવન કરવાથી બીમારી માઈલો દુર રહેશે. તેમાંથી એક છે જવ. જે આપણા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે.
જવ માં ભરપુર પ્રમાણમાં વિટામીન બી-કોમ્પ્લેક્સ, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મૈગ્નીજ, સેલેનીયમ, જીંક, કોપર, પ્રોટીન, એમીનો એસીડ, ડાયટ્રી ફાઈબર્સ સહિત ઘણી જાતના એન્ટી-ઓક્સીડેટ મળી આવે છે. જે પણ આપણા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે.

જૌ એક અનાજ છે. તે અનાજના સ્વરૂપમાં ફાયદાકારક હોવાની સાથે સાથે તેનું પાણી પણ આપણા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે. તે ઘણી બીમારીઓથી કાયમી છુટકારો અપાવે છે તે બીમારીઓ થવાનો ભય ખુબ ઓછો થઇ જાય છે.
આવી રીતે તૈયાર કરો જૌ નું પાણી :

જૌ નું પાણી તૈયાર કરવા માટે થોડા જૌ લઇ લો અને તેને સારી રીતે સાફ કરી લો. ત્યાર પછી તેને લગભગ ચાર કલાક પાણીમાં પલાળીને રાખો. પછી તે પાણીને ત્રણ થી ચાર કપ પાણીમાં ભેળવીને ધીમા તાપે ઓછામાં ઓછું 45 મિનીટ ઉકાળો. ત્યાર પછી ગેસ બંધ કરી દો અને તેના ઠંડુ પડવા દો. જયારે તે ઠંડુ થઇ જાય તો તેને એક બોટલમાં ભરીને રાખો અને તેને પિતા રહો.

જાણો જવ ને અનાજ તરીકે ખાવાની સાથે સાથે તેનું પાણી પીવાના છે 6 ફાયદા :
કરો પેશાબની તકલીફ દુર : જો તમને પેશાબને લગતી કોઈ પણ તકલીફ છે, તો જૌ નાં પાણીનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઇ શકે છે.

પગના સોજામાંથી અપાવે છુટકારો : ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના પગમાં સોજો આવી જાય છે, એવામાં સોજાને ઓછો કરવા માટે મહિલાને જૌ નું પાણી પીવા માટે આપી દો.

વજન ઓછું કરે : તેમાં એવા તત્વો મળી આવે છે. જેનું સેવન કરવાથી મેટાબાલીજ્મ વધે છે. જે કે મોટાપો ઓછો કરી શકે છે.. જેનાથી તમે સ્લીમ થઇ જશો.

હ્રદય ને લગતી બીમારીઓમાંથી અપાવે છુટકારો : તેમાં મળી આવતું તત્વ કોલેસ્ટ્રોલ ના લેવલને ઠીક રાખે છે. જેને કારણે તમને હ્રદયને લગતી કોઈપણ જાતની બીમારી નહી થાય. હ્રદયની બીમારી થવાનું મુખ્ય કારણ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થવાથી થાય છે.

ઈમ્યુનીટી સીસ્ટમને રાખે મજબુત : તેમાં એવા તત્વો મળી આવે છે. જે તમારા શરીરમાંથી ઝેરીલા પદાર્થો બહાર કાઢી દે છે. જેનાથી તમારું ઈમ્યુનીટી સીસ્ટમ મજબુત થઇ જાય છે. સાથે જ તમારી સ્કીનમાં નિખાર પણ લાવે છે.
પેટની બળતરાને કરે દુર : ગરમીની સિઝનમાં તે પીવાથી ઠંડક મળે છે. જો તમે તેજ મસાલાદાર ભોજન કર્યું છે જેના કારણે પેટમાં બળતરા થઇ રહી છે તો તેને દુર કરવા માટે તમે જૌ ના પાણીનું સેવન કરો.

જૌ ના અનાજ તરીકે ખાવાના 25 અદભુત્ત ફાયદા :

(1) હાથોનું ખડબચણાપણું : જૌ ના લોટમાં થોડું પાણી ભેળવીને તેને હાથ ઉપર ઘસવાથી લાભ થાય છે.

(2) રંગને નિખારે :
1 મુઠી ચાળેલા જૌ ના લોટને એક પાતળા કપડામાં પોટલી બનાવી લો પછી તે પોટલીને કાચા દુધમાં પલાળીને અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત નહાતી વખતે શરીર ઉપર ઘસવાથી ધીમે ધીમે ત્વચા ની કાળાશ દુર થઇ જાય છે.
જૌ નો લોટ, વાટેલી હળદર અને સરસોનું તેલને પાણીમાં ભેળવીને લેપ બનાવી લો. રોજ શરીર ઉપર તેનો પાતળો લેપ કરીને ગરમ પાણી થી ન્હાવાથી કાળા રંગવાળા લોકોનો રંગ ગોરો થવા લાગે છે.

(3) દાઝવા ઉપર : જૌ ના સત્તુને શરીર ઉપર ઘસવાથી બળતરા મટી જાય છે. શરીરના કોઈ ભાગમાં દાઝી ગયા હો તો જૌ ને ઝીણું વાટીને તલના તેલમાં ભેળવીને લગાવવાથી લાભ થાય છે.

(4) ત્વચાનું મુલાયમ થવું : અડધો કપ જૌ નો લોટ અને એક ચમચી મલાઈમાં અડધું લીંબુ નીચોવી લો અને ઉપર થોડું પાણી નાખીને ઘોળ બનાવી લો. આ ઘોળને ચહેરા ઉપર 15 મિનીટ લેપ કરીને મૂકી દો અને પછી ચહેરો ધોઈ લો. આવું રોજ કરવાથી ચહેરા ઉપર ચમક આવી જશે અને ચહેરો ઘણો જ સુંદર લાગશે.

(5) ગળાનો સોજો : સવારના સમયે કાચા જૌ ચાવીને ખાવાથી ગળું ખુલી જાય છે.

(6) બાળકોની સારવાર : સારું ભોજન મળવા છતાં પણ બાળકો સુકાતા જાય છે. નબળા થતા જાય છે. વારંવાર ખાવા છતાં પણ ભૂખ ભૂખ કર્યા કરે છે તો તો તેને બીદારીકન્દ્, ઘઉં, જૌ નો લોટ અને ઘી ભેળવીને ખવરાવવું જોઈએ તથા ઉપરથી મધ અને સાકર સાથે દૂધ પીવરાવવું જોઈએ. જો કાચું દૂધ નુકશાન કરે તો ગરમ દૂધ કરીને ઠંડુ થાય ત્યારે મધ અને સાકર ભેળવીને પીવરાવવું જોઈએ.

(7) શરીરમાં સોજો : લગભગ એક લીટર પાણીમાં એક કપ જૌ ને ઉકાળીને તે પાણીને ઠંડુ કરીને પીવાથી શરીરનો સોજો દુર થઇ જાય છે.

(8) અલ્પપીત્ત : જૌ નું જ્યુસ ને મધ સાથે સેવન કરવાથી લાભ થાય છે. તુષ રહિત જૌ અને અરડુસી ભેળવીને ઉકાળો બનાવી લો. તે ઉકાળા માં તજ, તેજપત્તા , ઈલાયચી નું ચૂર્ણ અને મધ ભેળવીને પીવાથી અલ્પપીત્ત થી થનારી ઉલટી તરત દુર થઇ જાય છે.

(9) લુ લાગવી : રોગીના શરીર ઉપર જવ ના લોટનો લેપ ઘસવાથી લાભ મળે છે.

(10) દમ, શ્વાસ રોગ : દમમાં 6 ગ્રામ જૌ ની રાખ અને 6 ગ્રામ સાકર બન્નેને વાટીને સવાર સાંજ ગરમ પાણીથી ફાકી લેવાથી દમ (શ્વાસ રોગ) મટી જાય છે.

(11) મધુમેહ નો રોગ : જૌ નો લોટ 50 ગ્રામ, ચણાનો લોટ 10 ગ્રામ ભેળવીને રોટલી બનાવીને શાક સાથે ખાવ. અને માત્ર ચણાની રોટલી જ 8-10 દિવસ ખાવ, તો પેશાબમાં સુગર આવવા નું બંધ થઇ જાય છે.
જૌ મધુમેહના રોગીઓ માટે અને મોટાપો ઓછો કરવા માટે ખુબ જ ઉપયોગી છે. જૌ ની રોટલી ખાવાથી મધુમેહ રોગ નિયંત્રણમાં રહે છે. જૌ ને વાટીને લોટની જેમ પીસીને રોટી બનાવીને ખાવાથી મધુમેહમાં લાભ થાય છે.

(12) મોટાપો : જૌ ના સત્તુ અને ત્રિફલાનો ઉકાળો મધ ભેળવીને પીવાથી મોટાપો દુર થઇ જાય છે.
જવ ને પાણીમાં 12 કલાક સુધી પલાળી દો. ત્યાર પછી તેને સુકવીને છોતરા ઉતારી દો, વગર છોતરાના જૌ પણ મળે છે. છોતરા વગરના જૌ ની ખીર દૂધ સાથે બનાવીને રોજ સવાર અને સાંજ થોડા દિવસ સુધી ખાવાથી નબળા લોકો જાડા થઇ જાય છે.

(13) શરીર શક્તિશાળી બનવું :

જરૂર મુજબ જૌ લેવા અને તેને પાણીમાં પલાળીને પીસી લો અને તેલ ફોતરા ઉતારી લો. હવે લગભગ 60 ગ્રામ માં પ્રમાણમાં છોલેલાં જે જૌ છે તેની ખીર બનાવો. બે મહિના તે સતત ખાવાથી પાતળા લોકો પણ જાડા થઇ જાય છે અને તેના શરીરમાં સારી શક્તિ આવી જાય છે. જો આ ખીરનો ઉપયોગ રોજ ન કરી શકો તો અઠવાડિયામાં ઓછામાં ઓછું બે ત્રણ વાર જરૂર કરો.

ઉકાળેલા જૌ નું પાણી રોજ સવારે અને સાંજે પીવાથી શરીરમાં લોહી વધે છે. જૌ નું પાણી ગરમીની સિઝનમાં પણ પીવાથી વધુ લાભ મળે છે.

(14) પેશાબમાં લોહી આવવું. 50 ગ્રામ જૌ ને અડધો કિલો પાણીમાં નાખીને ઉકાળી લો. જયારે ઉકળતી વખતે પાણી અડધું રહી જાય તો તેને ઉતારીને દિવસમાં ત્રણ વાર પીવાથી પેશાબમાં લોહી આવવાનું બંધ થઇ જાય છે.

(15) ગઠીયા રોગ : ખાંડ અને જૌ ના લાડુ ગઠીયાના રોગી માટે ખુબ જ લાભદાયક હોય છે. તેના દુઃખાવો તથા સોજા દુર થઇ જાય છે.

(16) ગરમીના લીધે ચક્કર આવવા : જૌ ના સત્તુ પીવાથી કે ખાવાથી શરીરમાં ઠંડક આવે છે અને સને શરીર ગરમી સહન કરી શકે છે.

(18) કમળો : જૌ ના સત્તુ ખાઈને ઉપર એક ગ્લાસ શેરડીનો રસ પીવો, ચાર પાંચ દિવસમાં કમળાનો રોગ દુર થઇ જશે.

(19) ગર્ભપાત : જૌ નો ચાળેલો લોટ, તલ અને સાકર દરેક 12-12 ગ્રામ લઈને સારી રીતે વાટીને મધમાં ભેળવીને ચાટવાથી ગર્ભપાત નહી થાય.
જૌ નો લોટ સાકરમાં સરખા ભાગે ભેળવીને ખાવાથી વારંવાર થતો ગર્ભપાત અટકે છે.

(20) આગમાં દાઝવું : જૌ બાળીને તલના તેલમાં ઝીણા વાટીને દાઝેલા દર્દીના શરીર ઉપર લગાવવું લાભદાયક છે.

(21) જૌ ની રાખ બનાવવાની રીત : કોઈપણ વાસણમાં જૌ નાખીને સળગતો કોલસો નાખીને જૌ ને બાળો. જૌ બળી ગયા પછી કોઈ વાસણમાં એવી રીતે ઢાંકો કે તેમાં હવા ન જાય, પછી ચાર કલાક પછી કોલસાને કાઢીને ફેંકી દો અને બળેલા જૌ ને વાટી લો અથવા જૌ ને તાવડીમાં એટલા શેકો કે જૌ બળી જાય.

(22) પથરી : જૌ નું પાણી થી પથરી ઓગળી જાય છે. પથરી ના રોગીઓ ને જૌ માંથી બનેલી વસ્તુ, જેમ કે રોટલી, ધાણી, જૌ ના સત્તુ લેવા જોઈએ. તેનાથી પથરી નીકળવામાં મદદ મળે છે તથા પથરી નથી બનતી. અંદરની બીમારીઓ અને અંદરના અવયવોનો સોજામાં જૌ ની રોટલી ખાવું લાભદાયક છે.

(23) તરસ વધુ લાગવી : એક કપ જૌ વાટીને બે ગ્લાસ પાણી માં 8 કલાક માટે પલાળી રાખો. 8 કલાક પછી તેને આગ ઉપર ઉકાળીને તેના પાણીને ગાળીને ગરમ ગરમ પાણીથી કોગળા કરવાથી ઝડપથી તરસ મટી જાય છે.
શેકેલા જૌ ના લોટને પાણીમાં મસળીને (વધુ જાડો નહી કે વધુ પાતળો નહી) ઘી ભેળવીને પીવાથી તરસ, બળતરા અને રક્તપિત્ત દુર થાય છે.

(24) દસ્ત : જૌ અને મગ નું પસાવન બનાવીને પીવાથી આંતરડાની બળતરા દુર થાય છે અને અતિસાર માં લાભ થાય છે.

(25) રક્તવાત : શેકેલા જૌ નો લોટ અને જેઠીમધ ને ધોઈને ઘી માં ભેળવીને લેપ કરવાથી રક્તવાત દુર થઇ જાય છે.