દરેક દેશના પોતાના થોડા વિશેષ રીતી રીવાજ અને માન્યતાઓ હોય છે. બસ એવી જ રીતે ભારતમાં હિંદુ ધર્મમાં ઘણી ધાર્મિક માન્યતાઓ છે. જો કે દેશ આખામાં પ્રચલિત છે. તેમાંથી કાળો દોરો બાંધવાની પરંપરા સદીઓથી ચાલતી આવે છે. કાળા દોરાને સામાન્ય રીતે નજરથી બચવાના ઉદેશ્યથી બાંધવામાં આવે છે. તેને લોકો પોતાના હાથ, પગ, ગળા કે બાજુ ઉપર બાંધે છે. ખાસ કરીને બાળકના જન્મ પછી કાળો દોરો તેના પેટની નીચે કમર પર બાંધી દેવામાં આવે છે.
પરંતુ શું તમે જાણો છો? કે કાળો દોરો ન માત્ર એક હિંદુ ધર્મની પરંપરા છે, પરંતુ આ દોરાને વેજ્ઞાનિક દ્રષ્ટિએ પણ શુભ માનવામાં આવે છે. એ વાતમાં કોઈ શંકા નથી કે આપણું શરીર પાંચ તત્વો મળીને બને છે, અને એ પાંચ તત્વ છે પૃથ્વી, વાયુ, અગ્નિ, જળ અને આકાશ. આ બધા તત્વો માંથી શરીરને પુષ્કળ ઉર્જા મળે છે. જે શરીરનું યોગ્ય સંચાલન કરવામાં મદદ કરે છે. આ ઉર્જાને લીધે આપણે જીવનમાં તમામ પ્રકારની સુખ સુવિધાનો ઉપયોગ કરી શકીએ છીએ.
પરંતુ કોઈ વ્યક્તિની કુદ્રષ્ટિ એટલે કે ખરાબ નજર આપણી ઉપર કે આપણા પરિવાર ઉપર પડી જાય, તો આ દોરો તે નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવી શકે છે. ખાસ કરીને આ સામાન્ય એવા દેખાતા કાળા દોરામાં એટલી શક્તિ છે, કે તે દરેક પ્રકારની ખરાબ વસ્તુને આપણા ઘર પરિવારથી દુર રાખે છે. કદાચ એ જ કારણ છે કે આજ કાલની મોર્ડન પેઢી પણ આ દોરાને ગળામાં લોકેટ તરીકે પહેરે છે. એવી માન્યતા છે કે જે પણ માણસ આ દોરાને ધારણ કરે છે. તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે.
તમે એક વાત ઉપર જરૂર ધ્યાન કર્યુ હશે, કે ભારતીય લોકો ખરાબ નજરથી બચવા માટે હંમેશાથી કાળા રંગની વસ્તુઓનો જ ઉપયોગ કરતા આવ્યા છે. કાળા દોરા અને કાળા ટીકા બન્ને જ ખરાબ નજરની અસર દુર કરવામાં આપણી મદદ કરે છે. એક તરફ લાલ રંગના દોરાનો પૂજા અને હવન જેવા શુભ કાર્યો માટે ઉપયોગ કરવામાં આવે છે, અને બીજી તરફ કાળા દોરાને ખરાબ વસ્તુને દુર કરવા માટે નજરિયા તરીકે માનવામાં આવે છે.
કાળો દોરો સામે ઉભેલી વ્યક્તિની ખરાબ નજર અને એની એકાગ્રતાનો ભંગ કરી દે છે. જેણે કારણે ખરાબ શક્તિઓ આપણી ઉપર વધુ સમય સુધી રહી શકતી નથી. આ બધા તો હતા કાળા દોરાના ફાયદા, પરંતુ તમે જાણો છો કે કાળા દોરા તમારું નસીબ બદલવાની શક્તિ પણ ધરાવે છે?
કાળા દોરા એટલા અસરકારક છે કે તે તમને રાતોરાત માલામાલ બનાવી શકે છે. એટલે તમે પણ અમારા આજના વિશેષ અને સરળ ઉપાયને અપનાવવા માંગો છો, તો તેના માટે બજાર માંથી એક રેશમી કે સુતરાઉ કાળો દોરો લઇ આવો.
હવે મંગળવાર કે પછી શનિવારના દિવસે આ કાળા દોરાને હનુમાન મંદિર લઇ જઈને નાની નાની ગાંઠો લગાવીને એના પર હનુમાનજીના પગનું સિંદુર લગાવી લો. દોરાના શુદ્ધિકરણ પછી તમે હવે આ દોરાને ઘરના મુખ્ય દરવાજા એટલે પ્રવેશદ્વાર ઉપર બાંધી લો. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં ધનની ક્યારે પણ તંગી નહિ આવે, અને તમે હંમેશા માલામાલ બની રહેશો.
એટલું જ નહિ પરંતુ દોરો બાંધ્યા પછી તમારા ઘરમાં નવી ખુશીઓનું આગમન થશે, અને તમારા પરિવાર અને આનંદને કોઈ પણ ખરાબ નજરથી પ્રભાવિત નહિ કરી શકે.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)