હિંદુ ધર્મના ઘણા ધાર્મિક કામોમાં કેળાની પૂજા થાય છે, તેનો ધાર્મિક અર્થ તો આપણે નથી જાણતા, પણ તમને આજે તેના થોડા એવા ગુણો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે પણ તેની પૂજા ભલે ન કરો પણ તેને સન્માનની દ્રષ્ટિથી જરૂર જોશો. તો આજે તમને જણાવીશું કેળાનો રસ કેવી રીતે અમૃત સમાન છે.
અમૃત છે કેળનો રસ
કેળાના ફળની અંદર તો અનેક ગુણ મળી આવે છે જેને કારણે તેને સુપર ફળ પણ કહેવામાં આવે છે જેના વિષે તમેં જુદી જુદી વેબસાઈટ ઉપર વાચ્યું હશે, પણ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેની દાંડી નાં એવા ગુણ જે તેને સુપર થી પણ ઉપર લઇ જાય છે, તેની દાંડી માં અનેક ઔષધીય ગુણ રહેલા હોય છે જેનો ઉપયોગ જુના વૈદ અને વિદ્વાન કરતા આવેલ છે. અને આજે પણ ઘણા આદિવાસી વિસ્તારોમાં તેનો ઉપયોગ પણ થાય છે, તો આવો વધુ લાંબી વાતો ન કરતા તમને જણાવી આપીએ કે શું છે તે અદ્દભુત ગુણ જે અનેક અસાધ્ય અને ગંભીર રોગોના બીજનો પણ નાશ કરી દે છે.
કેળના રસના ફાયદા.
કેળાનો ખમ્ભ એટલે કે તેનું ઝાડ તેને કાપી વાટીને કપડાથી ગાળી લો તેમાંથી જે રસ નીકળશે તે કેળાનો રસ કે પાણી છે, આ રસ તેની અમુલ્ય ઔષધી છે. આજે અમે તમને તેની આવી ઔષધીના ગુણ અહિયાં જણાવી રહ્યા છીએ.
કેળના રસમાંથી પેશાબ અને સોજા નો ઈલાજ
કેળાનો રસ પીવા માત્રથી પેશાબ ખુબ ચોખ્ખો થાય છે, અને સોજામાં પણ ઘણો આરામ મળે છે. અને UTI (મૂત્ર રોગ જેવા કે બળતરા, પથરી, ટીપું ટીપું પેશાબ આવવો, પેશાબ તકલીફથી ઉતરવો વગેરે) માં ઘણા સારા પરિણામ છે,
કેળનો રસ સ્ત્રીઓમાં.
સ્ત્રીઓના પ્રમેહ જેવા શ્વેત પ્રદર અને બધા યોની રોગો માં કેળાનો રસ ઘણો ઉપયોગી છે.
કેળના રસથી હેજાનો ઈલાજ
જો કોઈને હેજા થઇ જાય તો સવાર સાંજ કેળાનો રસ પીવો જોઈએ, તેનાથી હેજાની જીવત મરી જાય છે.
લીવર અને તીલ્લી રોગમાં કેળાનો રસ.
જો લીવરમાં સોજો હોય કે પછી તીલ્લી વધી ગઈ હોય તો કેળનો રસ ઘણો ઉપયોગી છે.
ઝેરીલા જાનવર કરડવા ઉપર
કેળનો રસ સાંપ, વિછી, ઉંદર અને બીજા ઝેરીલા જાનવરો કરડે તેની ઉપર ઘણો અસરકારક છે. આવા માં રોગીને તેનો રસ પીવરાવવો જોઈએ અને તેનો રસ લગાવવો જોઈએ. ત્યાં સુધી કે એલોપેથીમાં પણ કેળના રસને ઘણી ઉત્તમ દવા માનવામાં આવે છે.
હરતાલ, ખાંસી, અને પારાનું ઝેરમાં કેળનો રસ ઘણો ઉત્તમ છે.
કેળના રસથી અનેક અસાધ્ય રોગ
કેળનો રસ પીવાથી સોજો, ખાંસી, શ્વાસ, અલ્પપિત્ત, કમળો, પિત્તવિકાર, દાહ, લીવરનો સોજો, તીલ્લીનું વધવું, અતિસાર (દસ્ત) લોહીની ગરમી, કફ જામવો, જલોદર, શીતપિત્ત, હાથી પગો, પ્રદર રોગ, યોની રોગ, પ્રમેહ અને ઉપદંશ વગેરે ગરમીના રોગમાં આરામ થાય છે. આ બધા રોગોમાં તેનો નિશ્ચિંત બનીને ઉપયોગ કરો.
કેળના રસના આ ગુણોને કારણે તેમાં એકદમ જ શંકા નથી કે તે અનેક અસાધ્ય અને ગંભીર રોગોના બીજ નાશ કરે છે.
પ્રમાણ – તેનું સેવન પ્રમાણ ૩૦ થી ૫૦ ml છે, એટલા પ્રમાણમાં દિવસમાં ૨ થી ૩ વખત લઇ શકો છો.
નોંધ – કેળનો રસ તાજો જ લેવાનો છે, જુનો (વાસી) રસ નુકશાનકારક છે.