વ્યક્તિના જીવનની બે બાજુ હોય છે. તે પોતાના સારા અને ખરાબ સમયમાંથી પસાર થાય છે. પણ જે રીતે સારો સમય વીતે છે તેવી જ રીતે ખરાબ સમય પણ હંમેશા નથી રહેતો. પણ કદાચ તમે સાંભળ્યું હશે કે જયારે વ્યક્તિ સાથે સારું અથવા ખરાબ થાય, તો તે પહેલા ભગવાન તમને કોઈને કોઈ સંકેત જરૂર આપશે, જેને માણસ સમજી શકતો નથી. અને તેમને લાગે છે કે તે ખરાબ સમય કેવી રીતે આવી ગયો અને ખબર નહી તેમનાથી શું ભૂલ થઇ ગઈ છે. પણ તે સાચું છે જયારે માણસનો ખરાબ સમય આવે છે, તો ખરાબ સમય આવતા પહેલા ભગવાન આપે છે 6 સંકેત. સમય રહેતા તેને જાણો અને ખરાબ સમયથી લડવા માટે તૈયાર રહો, અથવા પછી થઇ શકે છે ખરાબ સમય રહે જ નહી.
ખરાબ સમય આવતા પહેલા ભગવાન આપે છે આ 6 સંકેત :
1. પહેલો સંકેત :
ખરાબ સપના માણસને આવતા જ રહે છે, તેમાં કોઈ મોટી વાત નથી. પણ જો ખરાબ સપના તમને રોજ આવે છે તો તેનો સંકેત હોય છે કે તમારા ઘરમાં કોઈ કલેશ થવાનો છે. અથવા જો તમારો બિઝનેસ ચાલે છે તો તે મંદ થવાનો હોઈ શકે છે. આ બન્નેની સાથે જ ખરાબ સપના વારંવાર આવે, તો આ પરિવારના સભ્યો પર પણ મોટી તકલીફ નાખવાની શંકા હોય છે. તેનાથી બચવા માટે તમારે દરરોજ રાત્રે સુતા પહેલા હનુમાન ચાલીસા અથવા પછી પોતાના તે ભગવાનને યાદ કરો જેને તમે માનો છો.
2. બીજો સંકેત :
જો તમે પોતાના સપનામાં કોઈને રોતા જુઓ છો, તો તે ખુબ જ ખરાબ સપનું છે. તે જ રીતે જો તમને કોઈ એવું સપનું આવે છે તો તેને કોઈને બિલકુલ પણ જણાવો નહી. નહી તો તમારે જ તેનું પરિણામ ભોગવવું પડશે. તે વાતને જેટલી દબાવી રાખો તેટલું સારું હોય, છે નહી તો કંઈક ખુબ ખરાબ થઇ શકે છે. તેનાથી બચવા માટે પોતાના ખરાબ સપના કોઈને ન જણાવો.
3. ત્રીજો સંકેત :
શરીરના કોઈ પણ ભાગમાં જમણી તરફ ફડકે છે તો તેને ખુબ જ ખરાબ મનાય છે. તે ભાગોમાં જમણો ગાલ, બાજુ, હાથ અથવા પછી આંખ સમાવિષ્ટ હોય છે. પણ તે બધું ફડકે છે તો તે કોઈ આવનારી તકલીફનો સંકેત હોય છે. અને તેના વિષે શાસ્ત્રોમાં પણ લખેલું છે, કે મહિલાઓનો ડાબો ભાગ અને પુરુષોનો જમણો ભાગ જો ફડકે છે તો સમજો કોઈ ખરાબ ખબર સાંભળવા મળશે. જયારે પણ એવું થાય છે તો ભગવાનને યાદ કરો અથવા પોતાનું ધ્યાન કોઈ બીજા કામમાં લગાવો. તેથી ખ્યાલ આવવા બંધ થઇ જશે.
4. ચોથો સંકેત :
જો તમે ક્યાય કાળા રંગની બિલાડી જોઈ લો, અથવા પછી પોતાના ઘરમાં જ કોઈ એવી કાળી બિલાડી આવી જાય જેને તમે પહેલા ક્યારેય નથી જોઈ, અને તે ઘરમાં આવીને તમને તાકી રહી છે તેનો ખરાબ પ્રભાવ પડે છે. શાસ્ત્રો મુજબ કાળી બિલાડીને અશુભ મનાય છે. અને જો તે અજાણી બિલાડી તમને તાકીને ડરાવવાનો પ્રયત્ન કરે, તો સમજી જાઓ કે તમારા પર ખરાબ મુસીબત આવવાની છે. તેનાથી બચવા માટે બિલાડીની આંખોમાં જોયા વગર તેને ભગાવી દો. અને ભગવાન પાસે પોતાના પરિવારની સુખની કામના કરો.
5. પાંચમો સંકેત :
જો તમારા ઘરમાં જે સમયે તમે કચરો વાળો છો, ત્યારે તમને કોઈ એવી અનાવશ્યક વસ્તુ દેખાય છે જે તમે પહેલા ક્યારેય નથી જોઈ, તો સમજી જાઓ કે કોઈ એવી વસ્તુ છે જે તમારી તકલીફનું કારણ બની શકે છે. તે વસ્તુને ઉઠાવીને કોઈ સાચી જગ્યાએ રાખી દો અને તેનાથી માફી માંગી લો. અથવા કોઈ પવિત્ર જગ્યાએ તેનું વિસર્જન કરી દો. તેનાથી તમારું દુ:ખ થોડી હદ સુધી ઓછું થઇ જશે.
6. છઠ્ઠો સંકેત :
ગરોળીથી જોડાયેલ ઘણા અસત્ય શાસ્ત્રોમાં લખેલા છે. ગરોળી સારા અને ખરાબ બન્ને સંકેત આપે છે. જો અચાનક તમે પોતાના ઘરમાં બે ગરોળીઓને લડતા જુઓ, અને લડતા લડતા અચાનક ગાયબ થઇ જાય, તો સમજી જાવ કે તે સંકટની વાત છે. એક તરફથી તેનો અર્થ એ થાય છે કે તમારો કોઈની સાથે ઝગડો થવાનો છે. તેથી જો ઘરમાં ગરોળીઓ લડે તો તેને અલગ કરી દો.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)