હિંદુ ધર્મમાં મનુષ્યના શરીરના દરેક ભાગની પોતાની અલગ ઓળખાણ છે. સમુદ્ર શાસ્ત્ર મુજબ માણસના શરીરના દરેક ભાગ તેના વિષે ઘણી બધી મહત્વપૂર્ણ જાણકારી જણાવે છે. આજના સમયમાં સરકારો એટલી લાલચી થઇ ગઈ છે, કે તે મોંઘવારી સતત વધાર્યા કરે છે. એવામાં ગરીબ માણસ માટે પેટ પાળવવું પણ મુશ્કેલ થઇ રહ્યું છે. આ વાતમાં કોઈ બે મત નથી કે આ દુનિયામાં દરેક વ્યક્તિ અમીર થવાના સોનેરી સપના જુએ છે. પણ પૈસા મેળવવા દરેકની કિસ્મતમાં નથી હોતું.
કેટલાક લોકો પૈસાના ચક્કરમાં દિવસ રાત મહેનતમાં લાગ્યા રહે છે. પણ, તેમ છતાય તેમની પાસે ધન નથી ટકતા. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલાક લોકો જન્મ્યા જ અમીર થવા માટે હોય છે. તેમની કિસ્મતને લીધે વગર મહેનતે પણ તેમને પૈસા મળી જ જાય છે. માન્યું કે, દેખાવમાં તે લોકો સામાન્ય લોકો જેવા જ હોય છે, પણ પૈસા કમાવવાની વાતમાં તે સૌથી આગળ હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શરીરના કેટલાક અંગો પર નિશાન હોવા ઘણા શુભ મનાય છે. તે નિશાન માણસની કિસ્મત બદલવાનો સંકેત આપે છે. આજના આ આર્ટીકલમાં અમે તમને શરીરના અંગો પર આવેલા એવા જ કેટલાક નિશાન વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમારા શરીરના અંગ પર પણ તે નિશાન આવેલા છે તો તમે ખુબ જલ્દી અમીર બની શકો છો. કારણ કે તે નિશાનોનો અમીરી સાથે ખાસ સંબંધ જોડાયેલો છે. તો ચાલો જાણીએ તે નિશાનો વિષે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે લોકોની હથેળીની વચ્ચે તોમર, રથ, ચક્ર, બાણ અથવા ધ્વજ વગેરેના નિશાન બનેલા હોય છે, તે લોકો ઘણા સારા ભાગ્ય વાળા હોય છે. એવા લોકોનો જન્મ બીજા લોકો પર શાસન કરવા માટે થાય છે. તેમની સમાજમાં ઘણી પ્રતિષ્ઠા બની રહે છે. તે લોકો દરેકના દિલ સારી રીતે જીતવા માંગે છે. તેમના દામ્પત્ય જીવનમાં સદૈવ તાલમેલ અને પ્રેમ બનેલો રહે છે. તેમને વ્યાપાર અને નોકરીમાં ઘણી પ્રગતિ મળે છે. તે જે પણ કામમાં હાથ નાખે છે તેમને તે કામમાં સફળતા જરૂર મળે છે. કુલ મળીને તે લોકો કિસ્મતના ઘણા ધની હોય છે.
માણસોના શરીર પર તલ હોવો સામાન્ય વાત છે. પણ જો તે તલ તમારા હાથની હથેળી વચ્ચે આવેલો છે, તો તમારા માટે ખુબ જ શુભ અને લાભદાયક સાબિત થાય છે. હથેળી વચ્ચે તલ હોય તેવા વ્યક્તિ ખુબ જ ધનવાન અને મોટા દિલ વાળા હોય છે. સામાજિક રીતે તેમને માન સમ્માનની પ્રાપ્તિ થાય છે. તેમણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે, પણ એક ને એક દિવસે સફળતા જરૂર મળે છે. તે પોતાના પરિવારમાં સૌથી વધુ લાડલા હોય છે. પોતાના સાથી પ્રત્યે તેમનો ઘણો લગાવ બન્યો રહે છે. તે ઘણા શાયરાના અને રોમેન્ટિક પ્રકારના હોય છે.
જે લોકોના પગોમાં ચક્ર અથવા કમળનું નિશાન હોય છે, તેમને ક્યારેય ધનનું નુકસાન નથી થતું. તે લોકો જમીન પ્રોપર્ટી જેવી સુખ સુવિધાઓનો આનંદ ઉઠાવે છે. તેમના છોકરાઓને તેમના પ્રત્યે ખુબ પ્રેમ હોય છે. તે બીજા લોકો પર હુકમ ચલાવવાનું પસંદ કરે છે. તે ઘણા નરમ હ્રદય વાળા હોય છે, તેથી પોતાની મીઠી વાણીથી કોઈનું પણ દિલ જીતી શકે છે. તેમની પાસે અપાર ધન હોવાના કારણે તેમના પોતાના વ્યક્તિ ઓછા અને શત્રુ વધુ હોય છે. તેમનો સાથી તેનું ખુબ જ ધ્યાન રાખે છે. તે દેખાવમાં ઘણા સુંદર હોય છે.
જે લોકોના પગના તળિયા પર તલ આવેલો હોય છે, તે લોકો ખુબ જ સારા શાસક મનાય છે. તે લોકોને દરેક પ્રકારના સુખ અને યશ મળે છે. સ્વતંત્ર રીતે જીવનમાં આગળ વધતા રહેવું જ તેમનો એકમાત્ર લક્ષ્ય હોય છે. તે પોતાના લક્ષ્યની પૂર્તિ માટે દરેક પ્રકારની કઠીન તપસ્યા કરે છે. એવા લોકોની સમાજમાં ઘણી ઉંચી પ્રતિષ્ઠા હોય છે. ધનની બાબતમાં તે ઘણા ખુશકિસ્મત હોય છે. તેમને ધન પોતાના બાપ દાદાઓ પાસેથી જ વારસામાં મળે છે. તે દરેક કામ મન લગાવીને કરે છે અને એકને એક દિવસ તે કામમાં સફળતા જરૂર પ્રાપ્ત કરે છે.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)