મોઢામાં ચાંદા થવાના કોઈ એક કારણ હોતું નથી. ચાંદા થવાના ઘણા કારણ થઇ શકે છે. કોઈ વાર તો પેટની ગરમીના કારણે ચાંદા થઇ જાય છે. ચાંદા થવાથી મોં માં દુખાવો અને બળવા ની સમસ્યાનો સામનો કરવો પડે છે, આ એક સામાન્ય સમસ્યા છે. જે કોઈને પણ થઇ શકે છે. આવો જાણીએ કે મોઢના ચાંદા ને સારા કરવાના ઘરેલુ ઉપચાર
મોઢામાં ચાંદા ને સારા કરવાના ઘરેલુ ઉપાય
કેળા અને દહીં : મોઢાના ચાંદા થયા હોય ત્યારે કેળા ને દહીં ની ખાવાથી મોઢાના ચાંદા જલ્દી સારા થઇ જાય છે.
દેશી ઘી : દેશી ઘી ને રાત્રે ઊંઘવાના પહેલા મોઢા ના ચાંદા પર લગાવવાથી પણ મોઢાના ચાંદા જલ્દી સારા થઇ જાય છે.
બેકિંગ સોડા : ખાવા વાળા સોડા ને પાણી મેળવીને પેસ્ટ બનાવી લો અને તે પછી પેસ્ટ ને મોઢાના ચાંદા પર લગાવાવથી ચાંદા થી આરામ મળે છે
મીઠાનું પાણી : મીઠાના પાણી થી દિવસમાં 2-3 વાર કોગળા કરવાથી પણ મોઢાના ચાંદા સારા થઇ જાય છે.
તુલસીના પાંદડા : તુલસીના પાંદડા ના રસ નીકાળીને મોઢાના ચાંદા પર લગાવવાથી મોઢાના ચાંદા સારા થઇ જાય છે.
જમરૂખ ના પાંદડા : જમરૂખ ના પાંદડા નો રસ કઢી ને મોઢાના ચાંદા પર લગાવવાથી પણ મોઢાના ચાંદા જલ્દી સારા થવા મળે છે
લીલા ધાણા ના પાંદડા : લીલા ધાણા ના પાંદડા ના રસ કાઢી ને મોઢાના ચાંદા પર લગાવવાથી મોઢાના ચાંદા ને તરતજ રાહત મળે છે
મધ અને ઈલાયચી : થોડી મધમાં ઇલાયચી નો પાઉડર મેળવીને પેસ્ટ બનાવી લો અને પછી આ પેસ્ટને મોઢાના ચાંદા ઉપર લગાવો. મોઢાના ચાંદા સારા થઇ જાય છે.
ગોળ ને ચૂસવું : ખાવાનું ખવાય ગયા બાદ થોડો ગોળ મોં માં મૂકી ચૂસવાથી પણ મોઢાના ચાંદા થી રાહત મળે છે.
ફટકડી નાં પાણી નાં કોગળા કરવાથી મોના ચાંદા રૂઝાય છે.
જમરૂખ ના પાંદડાને ચાવવાથી પણ મોઢાના ચાંદા સારા થઇ જાય છે.
દાડમ ની લીલી કે સુકી છાલ મો માં રાખવા થી ચાંદા મટે છે અને ઉધરસ માં પણ ફાયદો કરે છે.
મો માં થોડો વખત મધ રાખી ને કે મધ અને પાણી નાં કોગળા કરવાથી પણ રાહત મળે છે.
મો આવ્યું હોય કે મો માં ચાંદા પડ્યા હોય ત્યારે વડ ની છાલ નો ઉકાળો બનાવી મો માં રાખવો.
જેઠીમધ,શતાવરી,આમળા, ખડી સાકર, સરખા વજને લઇ ને ખુબ ખાંડી ને બારીક ચૂર્ણ બનાવવું સવારે અને સાંજે એક ચમચી દૂધ સાથે લેવું. મો માં ચાંદા સાથે પેટ માં બળતરા થતી હોય તો ખાટા, ખારા,તળેલા, તીક્ષ, તળેલા આહાર વિહાર નો ત્યાગ કરવો એક થી બે મહિના આ ઉપચાર અક્રવો, આનાથી આમ્લપીત્ત, અલ્સર, આંતરડા અને યોની નાં ચાંદા મટે છે.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવેલ માહિતી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. વધુ જાણવા માટે તમે ડોક્ટરની સલાહ જરૂર લેવી)