પેટ ઓછું કરવા માટે પોતાના ડાયેટમાં થોડી એવી વસ્તુનો ઉમેરો કરવો જરૂરી છે જેનાથી વજન નિયંત્રણમાં રહે છે. આ ખોરાકમાં રહેલ ન્યુટ્રીએન્ટસથી ચરબી ઓગળવાની પ્રક્રિયા ઝડપી બને છે. તેનાથી પેટ ઓછું થવા લાગે છે. મહર્ષિ આયુર્વેદ હોસ્પિટલ, નવી દિલ્હીના એક ડૉ. જણાવી રહ્યા છે પેટ ઓછું કરવાની આ ટીપ્સ. પેટ ઓછું કરવા માટે બીજું શું કરવાથી થશે ફાયદો?
લંચ અને ડીનર વચ્ચે કાઈપણ ન ખાવ. ખાવાને ધીમે ધીમે અને ચાવીને ખાવ. રાત્રીના સમયે હળવું ભોજન જેવું કે ખીચડી ખાવ. ખાતી વખતે ધ્યાન ક્યાય બીજે ન રાખવું જેમ કે તે દરમિયાન ટીવી ન જોવું. શરીરમાં કફ વધુ બનવાથી વજન વધે છે. તેથી કફ વધારનાર વસ્તુથી દુર રહો. અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ દિવસ કસરત જરૂર કરો.
વરીયાળીનું પાણી – તેમાં એન્ટીઓક્સીડેંટ હોય છે. તેનાથી પેટની ચરબી ઓછી થાય છે. કેવી રીતે પીવું – તેમાં લીંબુનો રસ ભેળવીને પણ પી શકો છો.
દુધીનો રસ – તેમાં રહેલ ફાઈબર્સથી મોડે સુધી ભૂખ લગતી નથી. મોટાપો ઘટે છે.
કેવી રીતે પીવું – તેમાં કાળા મરી અને કાળું મીઠું ભેળવીને પી શકો છો.
પપૈયું – તેમાં પોટેશિયમ, પપાઇન હોય છે. તેનાથી ચરબી ઓગળવાની પ્રોસેસ ઝડપી બને છે.
કેવી રીતે પીવું – પપૈયાને આમ જ ખાવ. તેનો શેક બનાવીને પી શકો છો.
ક્લૌજીનું(શાહજીરું) પાણી – તેમાં ફાઈબર્સ હોય છે. તેથી મોડે સુધી ભૂખ નથી લાગતી. વજન ઓછું થાય છે.
કેવી રીતે પીવું – તેમાં લીંબુનો રસ ભેળવીને પી શકો છો.