કાલે છે સંકટ ચૌથ જાણો તેનું મહત્વ, વિધિ, કથા અને કરવાનો સાચો સમય

ગુરુવારના રોજ સંકષ્ટી એટલે કે સંકટ ચૌથ નું પર્વ હોવા થી ઘણું મહત્વ વધી ગયું છે

હિંદુ સંસ્કૃતિ માં વ્રત અને તહેવાર નું વિશેષ મહત્વ છે. દર મહીને કોઈ ને કોઈ વ્રત હોય છે અને દરેક વ્રત નું પોતાનું અલગ મહત્વ હોય છે. તે પર્વો માં ખાસ છે સંકષ્ટી ચતુર્થી નું પર્વ.. જેને સકટ ચોથ, વક્રતુંડી ચતુર્થી, માઘી ચોથ અને તિલકુટા ચોથ ના નામ થી પણ ઓળખવામાં આવે છે.

હિંદુ કેલેન્ડર માં દર મહીને બે વખત ચતુર્થી હોય છે, અમાસ પછી આવનારી શુક્લ પક્ષ ની ચતુર્થી ને વિનાયક ચતુર્થી તો પુનમ પછી આવનારી કૃષ્ણ પક્ષ ની ચતુર્થી ને સંકષ્ટી ચતુર્થી ના નામ થી ઓળખવામાં આવે છે. તેમાં સૌથી વિશેષ હોય છે માધ મહીના ની સંકષ્ટી ચતુર્થી જેનું ઘણું જ વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ વખતે માધ મહિના ની સંકટ ચોથ ૨૪ જાન્યુઆરી ના રોજ છે. આ પર્વ પશ્ચિમ અને દક્ષીણ ભારત માં ખાસ કરી ને ઘણું વધારે પ્રસિદ્ધ છે.

ગુરુવારે હોવાથી ઘણું વધી ગયું છે મહત્વ

આ વખતે માધ મહિના ની સંકષ્ટી ચતુર્થી ગુરુવાર છે તેથી તેનું મહત્વ ઘણું જ વિશેષ વધી ગયું છે.  ગુરુવાર ના દિવસે સકટ ચોથ આવવી એ વધુ શુભ માનવામાં આવે છે. તે દિવસે મહિલાઓ પરિવાર ના સુખ સમૃદ્ધી સાથે સાથે પોતાના બાળકો ની ખુશાલી ની કામના કરે છે. જેથી તેમની ઉપર કોઈ પ્રકાર ના કોઈ દુખ ન આવે.

આ સમયે થશે ચંદ્રોદય

સકટ ચોથ એટલે કે સંકષ્ટી ચતુર્થી ઉપર ચંદ્રોદય નું શુભ મુહુર્ત રાત્રે ૮.૨૦ વાગ્યે છે. ત્યાર પછી ચન્દ્રમા ને અર્ધ્ય આપી ને જ આ વ્રત પૂરું થશે. ચન્દ્રમા ને અર્ધ્ય આપી ને પ્રસાદ ગ્રહણ કરો અને ત્યાર પછી જ ખાવાનું ખાઈ ને વ્રત ખોલો.

સંકષ્ટી ચતુર્થી વ્રત ની કથા

કહે છે કે મહારાજ હરિશ્ચન્દ્ર ના સમય માં એક કુંભાર રહેતો હતો. એક વખત તે વાસણ બનાવી ને આંબો લગાવ્યો, પરંતુ આંબો પાક્યો જ નહિ. વારંવાર વાસણ કાચા રહી ગયા. ત્યાર પછી કુંભારે એક તાંત્રિક ને પૂછ્યું, તો તેમણે કહ્યું કે તારે બલી આપવી પડશે ત્યારે તેણે તપસ્વી ઋષિ જેમનું મૃત્યુ થઇ ગયું હતું, તેમના દીકરા ની બલી આપી દીધી. તે દિવસ એ સકટ ચોથ હતી. જે બાળકે બલી આપી દીધી તેની માં એ તે દિવસે વ્રત રાખ્યું હતું. સવારે કુંભાર એ જોયું કે તે બાળક મર્યું ન હતું પરંતુ રમી રહ્યું હતું. ડરી ને કુંભાર એ રાજા સામે પાપ નો સ્વીકાર કર્યો. રાજા એ વૃદ્ધા પાસે આ ચમત્કાર નું રહસ્ય પૂછ્યું, તો તેમણે ગણેશ પૂજા ના વિષય માં જણાવ્યું. ત્યારે રાજા એ સકટ ચોથ ની મહિમા ને માન્યું અને આખા શહેર માં પૂજા નો આદેશ આપ્યો.

આ વિધિ થી કરો સંકષ્ટી વ્રત

• સવારે સવારે નાહી ધોઈ ઉત્તર કે પૂર્વ દિશા તરફ મોઢું કરી ગણેશજી ની પૂજા કરો.

• ગણેશ જી ને દુર્વા, પુષ્પ, રોલી, ફળ સહીત મોદક અને પંચામૃત ચડાવો.

• સંકટ ચોથ ના દિવસે ગણેશ ને તેલ ના લાડુ નો ભોગ ચડાવો.

• સંકેષ્ટિ ચતુર્થી વ્રત કથા સાંભળો અને ગણપતી જી ની આરતી કરો.

• સાંજે ચંદ્રોદય પછી ચાંદ ને અર્ધ્ય આપી ને વ્રત ખોલો.