જ્યોતિષમાં શનિદેવ સૌથી વધારે ગુસ્સા વાળા દેવતાના રૂપમાં ઓળખાય છે. એમના નામ માત્રથી વ્યક્તિના મનમાં ડર બેસી જાય છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પર શનિદેવ ગુસ્સે થઈ જાય છે, એ વ્યક્તિના જીવનમાં ઘણી બધી પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે. એમને પોતાના દરેક કામમાં નિરાશા જ મળે છે. પરંતુ જે વ્યક્તિ પર શનિદેવ પ્રસન્ન થઈ જાય છે, એ વ્યક્તિનું આખું જીવન સંપૂર્ણ રીતે બદલાય જાય છે. એમના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવે છે.
એના સિવાય મહાબલી હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. એમની આરાધના માત્રથી જીવનમાં ચાલી રહેલી બધી પરેશાનીઓનો અંત થઈ જાય છે. કળિયુગમાં મહાબલી હનુમાનજી એકમાત્ર એવા દેવ છે જે પોતાના ભક્તોની બધી મનોકામનાઓ પુરી કરે છે. અને પોતાના ભક્તોના બધા કષ્ટ સમાપ્ત કરે છે.
જ્યોતિષના જાણકારો અનુસાર શનિવારે મહાબલી હનુમાન અને શનિદેવનો આમનો-સામનો થવાનો છે. જે કારણે એવી થોડી રાશિઓ છે, જે ઘણી નસીબ વાળી સાબિત થવાની છે. એમના જીવનના બધા દુઃખ અને તકલીફ દૂર થઈ જશે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એજ રાશિઓ વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
આવો જાણીએ કઈ રાશિઓના જીવનમાં આવશે ખુશીઓની લહેર :
મેષ રાશિવાળા લોકો પર મહાબલી હનુમાનજી અને શનિદેવની કૃપા દૃષ્ટિ બની રહેશે. એમના જીવનમાં ચાલી રહેલી બધી પરેશાનીઓ દૂર થશે. તમે જે પણ કામ કરશો એમાં તમને સફળતા પ્રાપ્ત થશે. સમાજમાં તમારું માન-સમ્માન વધશે. માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. નોકરી કરવા વાળા વ્યક્તિઓની આવકમાં વૃદ્ધિ થવાની સાથે-સાથે પ્રમોશન મળવાની સંભાવના બની રહી છે. બજરંગબલી અને શનિદેવની કૃપાથી આર્થિક યોજનાઓ સફળ થશે.
વૃષભ રાશિવાળા લોકો પર શનિદેવ અને બજરંગબલી મહેરબાન રહેવાના છે. ખાસ કરીને જે વ્યક્તિ વ્યાપારી છે, એમને પોતાના વ્યાપારિક ક્ષેત્રમાં ભારે નફો મળવાના યોગ બની રહ્યા છે. તમને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. ઘર પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં તમે મહત્વની ભૂમિકા ભજવશો. તમારા રોકાયેલા કામ સંપન્ન થઈ શકે છે. તમારી મહેનત રંગ લાવવાની છે. શનિદેવ અને બજરંગબલીની કૃપાથી ઘર પરિવારની મુશ્કેલીઓ દૂર થશે.
મિથુન રાશિવાળા લોકો પર શનિદેવ અને બજરંગબલીની કૃપા દૃષ્ટિ સતત રહેવાની છે. ખાસ કરીને જે વ્યક્તિ વિદ્યાર્થી છે એમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. વિદેશમાં ભણવાનું સપનું પૂરું થઈ શકે છે. કારોબારને લઈને તમે કોઈ યાત્રા પર જઈ શકો છો. જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. વ્યાપારિક ક્ષેત્રમાં થોડા નવા કરાર થઈ શકે છે. જેમાં તમને લાભ મળશે. મિત્રોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. શનિદેવ અને બજરંગબલિની કૃપાથી ઘર પરિવારમાં ખુશીઓ બની રહેશે.
કન્યા રાશિવાળા લોકો પર શનિદેવ અને બજરંગબલી મહેરબાન રહેવાના છે. તમને અચાનક કોઈ ખુશખબર મળવાની સંભાવના બની રહી છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પ્રેમીઓ માટે આવનાર સમય ઘણો સારો રહેવાનો છે. આ રાશિવાળા વ્યક્તિઓના પ્રેમ લગ્ન થઈ શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. પૂર્વજોની સંપત્તિથી લાભ મળી શકે છે. શનિદેવ અને બજરંગબલીની કૃપાથી અચાનક આકસ્મિક ધન લાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.
મકર રાશિવાળા લોકો પર શનિદેવ અને બજરંગબલીની કૃપા દૃષ્ટિ બની રહેશે. તમારો આવનાર સમય ઘણો ખાસ રહેવાનો છે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોનું ફળ તમને જલ્દી જ મળશે. ઘર પરિવારના દુઃખો માંથી છુટકારો મળશે. માતા-પિતાની મદદથી તમે પોતાના વ્યાપારમાં સારું સ્થાન પ્રાપ્ત કરશો. તમારા ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે. પ્રેમ સંબંધમાં મધુરતા આવશે. શનિદેવ અને બજરંગબલીની કૃપાથી તમે પોતાના કાર્યક્ષેત્રમાં બમણી પ્રગતિ તરફ આગળ વધશો.
કુંભ રાશિવાળા લોકો પર બજરંગબલી અને શનિદેવ મહેરબાન રહેવાના છે. તમારા વિચારેલા કામ પુરા થઈ શકે છે. પારિવારિક વાદ-વિવાદ દૂર થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જો તમે કયાંક રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમને એનો લાભ મળી શકે છે. શેયર માર્કેટ સાથે જોડાયેલા લોકોને લાભ મળવાની સંભાવના બની રહી છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. નવું વાહન ખરીદી શકો છો. બજરંગબલી અને શનિદેવની કૃપાથી સમાજમાં તમારું માન-સમ્માન વધશે.
મીન રાશિવાળા લોકો પર શનિદેવ અને બજરંગબલી મહેરબાન રહેવાના છે. ખાસકરીને વિવાહિત જીવનમાં ખુશીઓ બની રહેશે. કાર્યક્ષેત્રમાં આવનાર બધી અડચણો દૂર થશે. જે કાર્ય યોજના બનાવીને કરશો એમાં તમને સારો ફાયદો પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા આવશે. શનિદેવ અને બજરંગબલીની કૃપાથી ઘર પરિવારમાં ખુશીઓનું આગમન થશે. ધાર્મિક કાર્યો તરફ રુચિ વધશે. કુંવારા લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે.
આવો જાણીએ બાકીની રાશિઓની હાલત કેવી રહેશે :
કર્ક રાશિવાળા લોકોનો આવનાર સમય મધ્યમ ફળદાયી રહેશે. તમારે કોર્ટ કચેરીની બાબતોમાં સાવધાન રહેવાની જરૂર છે. જીવનસાથી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ શકે છે. વાહન ચલાવતા સમયે સાવધાન રહો. આર્થિક બાબતોમાં તમારે સતર્ક રહેવાની જરૂર છે. પારિવારિક જવાબદારીઓ વધી શકે છે. તમે પોતાની જવાબદારીઓ સારી રીતે પુરી કરશો.
સિંહ રાશિવાળા લોકોએ આવનાર સમયમાં થોડા પડકારોનો સામનો કરવો પડી શકે છે. કોઈ વાતને લઈને ભાઈ-બહેન સાથે વાદ-વિવાદ થવાની સંભાવના બની રહી છે. તમારે ખોટો ખર્ચ થઈ શકે છે. માટે તમે પોતાની આવક અને ખર્ચનું સંતુલન બનાવી રાખો, નહીં તો આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. જે વ્યક્તિ નોકરી કરે છે, એમનું અણગમતી જગ્યા પર ટ્રાન્સફર થઈ શકે છે. જેના કારણે તમને ઘણી સમસ્યાઓ થશે. તમારૂ સ્વાસ્થ્ય બગાડવાની સંભાવના બની રહી છે.
તુલા રાશિવાળા લોકોનો આવનાર સમય પડકારભર્યો રહેવાનો છે. પારિવારિક વાદ-વિવાદનો સામનો કરવો પડી શકે છે. તમારા જુના રોગ ઉભરીને સામે આવી શકે છે, જેના ઈલાજમાં વધારે ધન ખર્ચ થશે. તમારા પરાક્રમમાં કમી જોવા મળશે. યાત્રા દરમયાન ચોરી અથવા દુર્ઘટના થવાની સંભાવના બની રહી છે. ખાસકરીને વિદ્યાર્થીઓએ ભણવામાં ધ્યાન આપવાની જરૂર છે. તમારે પ્રતિયોગી પરીક્ષાઓ માટે સખત મહેનત કરવી પડશે.
વૃશ્ચિક રાશિવાળા લોકોનો આવનાર સમય સારો રહેશે. સાસરા પક્ષ તરફથી તમને લાભ મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ થોડી હદ સુધી સારી થઈ શકે છે. માતાપિતાની મદદથી તમે તમારા અધૂરા કામ પુરા કરી શકો છો. જીવનસાથી સાથે અણબનાવ થવાની સંભાવના બની રહી છે. સંતાનના ભણતરની ચિંતા રહેશે. પેટ સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તમે પોતાના ખાનપાન પર ધ્યાન આપો.
ધન રાશિવાળા વ્યક્તિઓને આવનાર સમયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. જે કારણે તમારો માનસિક તણાવ થોડી હદ સુધી ઓછો થશે. પરંતુ તમારે તમારા શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. તમારા શત્રુ તમને નુકશાન પહોંચાડવાના તમામ પ્રયત્ન કરશે. કાર્યો પ્રત્યે એકાગ્રતા બનાવી રાખો. કાર્યક્ષેત્રમાં સાથીઓ સાથે મન-મોટપ થઈ શકે છે. અમુક પ્રતિષ્ઠતિ વ્યક્તિઓ સાથે મુલાકાત કરી શકો છો. જે તમારા માટે ફાયદા કારક સાબિત થશે.