સાંધાનો દુઃખાવો, ગઠીયા, બાઈ બાદીનો જુનો રોગ, જુના ઘા નો દુઃખાવો, ગુમ, ઘા નો દુઃખાવો, આર્થરાઇટીસ નું દર્દ બધા રોગો માટે રામબાણ.
જરૂરી વસ્તુ
આંબા હળદર – ૨૦૦ ગ્રામ.
સુંઠ – ૨૦૦ ગ્રામ, ( સુકા આદુને સુંઠ કહેવામાં આવે છે, તે બજારમાં મળી જાય છે, તેનું બનાવેલ ચૂર્ણ પણ મળી જાય છે)
મેથી દાણા – ૨૦૦ ગ્રામ.
ઘેટાનું દૂધ – એક ગ્લાસ (૨૫૦ ગ્રામ)
બનાવવાની રીત :
સૌ પ્રથમ આંબા હળદર, સુંઠ અને મેથી દાણા ને સાફ કરીને જુદું જુદું વાટીને ચૂર્ણ બનાવો. હવે આ ચૂર્ણને ૨૫૦ ગ્રામ ઘેટાના દુધમાં ઉકળવા મુકો, તેને ધીમા તાપે ધીમે ધીમે હલાવતા રહેવું જેથી તે ખીરા જેવું જાડું ઘાટું થઇ જાય પછી તેની ગોળીઓ બનાવી શકાય છે. હવે તેને તમે ગોળીના આકારમાં ઢાળી શકો છો. ગોળીનો એટલી સાઈઝની બનાવો કે સરળતાથી ગળી શકાય. બે ગ્રામની એક ગોળી બનાવી લો.
સેવન કરવાની રીત :
આ ગોળીને તમે દિવસમાં બે વખત (સવાર સાંજ) ગાયના દૂધ સાથે લઇ લો.
તેના ફાયદા :
આ ગોળીના સેવન થી તમારા શરીરમાં કોઈ પણ રોગ તે પછી સાંધાનો દુઃખાવો હોય, બાઈ બડીને લીધે, વાતનું દર્દ હોય, શુગરને કારણે હોય, કોઈ જુનો ઘા નો દુઃખાવો હોય, એટલે કે શરીરમાં કોઈ પણ પ્રકારનો દુઃખાવો હોય તો તેનો તેના સેવનથી થોડા જ દિવસોમાં સારું થઇ જશે.તેને એક વાર જરૂર અજમાવો
તમે અમારા ફેસબુક પેજ ને લાઇક કરવાનું ન ભૂલશો. ત્યાં અમે તમને બધી વસ્તુ અને દરેક નુસ્ખા બનાવવાની રીત શેયર કરીએ છીએ.