ભારત નું હવામાન વાત પ્રકૃતિ નું છે એટલે દોડવા કરતા સૂર્ય નમસ્કાર કરવા વધુ યોગ્ય છે

સૂર્ય નમસ્કાર ૧૨ યોગાસનો એકઠા કરીને બનાવવામાં આવેલ છે. દર એક આસનનું પોતાનું મહત્વ છે. તે કરવા વાળાને કાર્ડિયોવસ્કુલર આરોગ્ય સારું રહે છે. સાથે જ શરીરમાં લોહીનો સંચાર પણ સારો રહે છે. સૂર્ય નમસ્કાર દ્વારા તમે તમારો તણાવ ઓછો કરી શકો છો અને તેમાં શરીરની સફાઈ કરવામાં મદદ મળે છે. સૂર્ય નમસ્કાર જુના સમયથી યોગ ગુરુઓ માં ખુબ પ્રચલિત રહેલ છે. તે વિદેશમાં પણ એટલી જ લોકપ્રિય છે. સૂર્ય નમસ્કારથી તન, મન અને વાણી ત્રણેને શક્તિ અને ઉર્જા મળે છે. અને સૂર્ય નમસ્કાર શરીરને દરેક અંગોને કાર્યશીલ બનાવે છે.

દરેક વિચારધારા નાં લોકો સૂર્ય નમસ્કાર કરવાના ફાયદા લે છે અને એક સૂરથી દરરોજ આ કરવા પર ભાર મુકે છે

સૂર્ય નમસ્કારની ૧૨ રીતો છે.

૧. સાવધાન સ્થિતિમાં ઉભા થઈને બન્ને હાથને ખભા ની બરોબરમાં ઉપાડતા ઉપરની તરફ લઇ જાવ. હાથને આગળના ભાગને એક બીજા સાથે જોડી લો પછી હાથને તે સ્થિતિમાં સામેની તરફ લાવીને નીચેની તરફ ગોળ ફેરવતા નમસ્કાર ની સ્થિતિમાં ઉભા થઇ જાવ.

૨. શ્વાસ લેતા બન્ને હાથને કાન ને અડતા ઉપરની તરફ ખેંચો અને કમરની પાછળની તરફ નમાવતા ભુજાઓ અને ગરદનને પણ પાછળની તરફ નમાવો, આ અર્ધચક્રાસન ની સ્થિતિ ગણવામાં આવે છે.

૩. શ્વાસ ને ધીમે ધીમે બહાર કાઢતા આગળની તરફ નમો. હાથને ગરદન સાથે કાનને અડતા નીચે જઈને ગોઠણને સીધા રાખીને પગની જમણી ડાબી જમીન ને અડો. થોડા સમય સુધી આ સ્થિતિમાં રહો. આ સ્થિતિ ને પાદ પશ્ચિમોત્તનાસન કે પાદહસ્તાસન કહે છે.

૪. આ સ્થિતિમાં હાથોને જમીન ઉપર રાખીને શ્વાસ લેતા જમણા પગની પાછળની તરફ જાવ. ત્યાર પછી છાતીને આગળ ખેંચીને ગરદન ઉપર ઉપાડો. આ સ્થિતિમાં પગના પંજા ઉભા રહેવા જોઈએ.

૫. શ્વાસને ધીમે ધીમે બહાર કાઢતા ડાબા પગની પાછળની તરફ લઇ જાવ. હવે બન્ને પગની એડીઓ એક બીજા સાથે મળેલ હોય. શરીરને પાછળની તરફ ખેંચાણ આપો અને એડીઓને જમીન ઉપર મેળવીને ગરદન નમાવો.

૬. શ્વાસ લેતા શરીરને જમીન ની બરોબર માં સાષ્ટાંગ દંડવત કરો અને ગોઠણ, છાતી અને ઠોડી ને જમીન ઉપર લગાડી દો. જાંઘોને થોડી ઉપર ઉઠાવતા શ્વાસ ને છોડો.

૭. આ સ્થિતિમાં ધીમે ધીમે શ્વાસ ને ભરતા છાતીને આગળની તરફ ખેંચતા હાથોને સીધા કરો. ગરદન ને પાછળ ની તરફ લઇ જાવ. ગોઠણ જમીનને અડી રહે અને પગના પંજા ઉભા રહે. તેને ભુજંગાસન પણ કહે છે.

8. પાંચમી સ્થિતિ જેવી સ્થિતિ બનાવો ત્યાર પછી તેમાં ઠોડીને કંઠસાથે ટકાવીને પગના પંજાને જુવે છે.

૯. આ સ્થિતિમાં ચોથી સ્થિતિ જેવી સ્થિતિ બનાવો ત્યાર પછી ડાબા પગને પાછળ લઇ જાવ. જમણા પગને આગળ લઇ આવો.

૧૦. ત્રીજી સ્થિતિ જેવી સ્થિતિ બનાવો ત્યાર પછી પગને પણ આગળ લાવીને પશ્ચિમોત્તનાસન ની સ્થિતિમાં આવી જાવ.

૧૧. બીજી સ્થિતિમાં રહીને શ્વાસ ભરીને બન્ને હાથને ઉપર લઇ જાવ. આ સ્થિતિમાં હાથને પાછળની તરફ લઇ જાવ સાથે જ ગરદન અને કમરને પણ પાછળની તરફ નમાવો.

૧૨. આ સ્થિતિ પહેલી સ્થિતિ ની જેમ છે એટલે નમસ્કાર ની સ્થિતિ.

સૂર્ય નમસ્કાર શરુ કરવાના થોડા જ સમયની અંદર તમે તમારી શારીરિક અને માનસિક સ્થિતિમાં ઘણો ફરક મેળવશો.

એક દ્રષ્ટીએ સૂર્ય નમસ્કારના ફાયદા ઉપર.

૧. તમારું આરોગ્ય નિખરે છે.

સૂર્ય નમસ્કારને કાયમ રૂટીનમાં ઉમેરીને સાચી રીતે કરવામાં આવે તો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવશે. ૧૨ આસનો દરમિયાન ઊંડા શ્વાસ લેવાના હોય છે જેથી શરીરને ફાયદો થાય છે.

૨. ઉત્તમ પાચનતંત્ર

પેટની માંસપેશીઓ મજબુત થાય છે અને તેનાથી પાચનશક્તિ વધે છે. જે લોકોને કબજિયાત, અપચો કે પેટમાં બળતરા ની તકલીફ હોય છે, તેમણે રોજ સવારે ખાલી પેટ સૂર્ય નમસ્કાર કરવા ફાયદાકારક રહેશે.

૩. સૂર્ય નમસ્કાર કરવાથી પેટ ઓછું થાય છે.

આસનો થી ઉદરની માંસપેશી મજબુત બને છે. જો તેને નિયમિત કરવામાં આવે, તો પેટની ચરબી ઓછી થાય છે.

૪. ડીટોક્સ કરવામાં મદદ મળે છે

આસનો દરમિયાન શ્વાસ ખેંચવો અને છોડવાથી ફેફસા સુધી હવા પહોચે છે. તેનાથી લોહી સુધી ઓક્સીજન પહોચે છે જેથી શરીરમાં રહેલ કાર્બન ડાઈઓક્સાઇડ અને બીજા ઝેરીલા ગેસથી છુટકારો મળે છે.

૫. દુર રહેશે તમામ ચિંતા

સૂર્ય નમસ્કાર કરવાથી યાદ શક્તિ વધે છે અને નર્વસ સીસ્ટમ શાંત થાય છે જેથી તમારી ચિંતા દુર થાય છે. સૂર્ય નમસ્કારથી એન્ડોક્રાઇન ગ્લેન્ડસ ખાસ કરીને થાઈરોઈડ ગ્લેન્ડની ક્રિયા નોર્મલ થાય છે. તે મગજને શાંત કરે છે અને આળસ ને દુર ભગાડે છે.

૬. શરીરમાં લચીલાપણું આવે છે

સૂર્ય નમસ્કારના આસનથી આખા શરીરને વર્કઆઉટ થાય છે. તેથી શરીર ફલેકસીબલ થાય છે.

૭. માસિક ધર્મ રેગ્યુલર થાય છે

જો કોઈ મહિલાને અનિયમિત માસિક ચક્ર ની તકલીફ છે, તો સૂર્ય નમસ્કારના આસન કરવાથી તકલીફ દુર થશે, આ આસનોને રેગ્યુલર કરવાથી બાળકના જન્મ દરમિયાન પણ દુખાવો ઓછો થાય છે.

રીઢના હાડકાને મળતી મજબુતી

સૂર્ય નમસ્કાર દરમિયાન સ્ટ્રેચિંગ થી માંસપેશી અને લીગામેંટ સાથે રીઢનું હાડકું મજબુત બને છે અને કમર લચીલી બને છે.

૯. સૂર્ય નમસ્કારથી તમે રહેશો યુવાન

સૂર્ય નમસ્કાર કરવાથી ચહેરા ઉપર કરચલી મોડી આવે છે અને સ્કીનમાં ગ્લો આવે છે. આ યોગ ત્વચાના રોગને દુર કરવામાં પણ મદદગાર સાબિત થાય છે.

૧૦. વજન ઓછું કરવામાં મદદ

સૂર્ય નમસ્કાર કરીને તમે જેટલી ઝડપથી વજન ઓછું કરી શકો છો, એટલી જલ્દી ડાયેટિંગથી પણ ફાયદો થતો નથી. જો તેને ઝડપથી કરવામાં આવે તો તે તમારા ઉત્તમ કાર્ડિયોવસ્કુલર વર્કઆઉટ થઇ શકે છે. સૂર્ય નમસ્કાર વધુ વજનને ઓછું કરીને શરીરને લચીલું બનાવે છે.

૧૧. બ્લડપ્રેશર ને નિયંત્રિત કરે છે
આ કસરત કરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ ઝડપી બની જાય છે જે બ્લડપ્રેશર ને નિયંત્રિત રાખવામાં ઉપયોગી થાય છે.

૧૨. જો તમે વાળની તકલીફથી ઘેરાયેલા છો તો આ યોગા અભ્યાસ તમારા વાળને કસમયે સફેદ થવા, ખરવા અને રૂસી થી બચાવે છે.

૧૩. શરીરમાં તાજગી ભરે છે અને મનને એકાગ્ર કરવામાં મદદ કરે છે.

૧૪. જો તમને ગુસ્સો જલ્દી આવે છે તો આ યોગ તમને તેને કંટ્રોલમાં રાખવાની શક્તિ પણ પૂરી પાડે છે.

૧૫. સાંધાને યોગ્ય રાખવામાં પણ મદદગાર છે, આ યોગ કરવાથી શરીરમાં લચીલાપણું જળવાઈ રહે છે, જેથી પીઠ અને પગના દુખાવામાં આરામ મળે છે.

૧૬. શરીરને કુદરતી રીતે વિટામીન ડી મળે છે જે હાડકા ને મજબુત કરવામાં અને આંખોની દ્રષ્ટિ વધારવામાં ફાયદાકારક હોય છે.

આ વાતોનું રાખો ધ્યાન

૧. સૂર્ય નમસ્કાર પૂર્વ દિશા તરફ મોઢું રાખીને જ કરવા જોઈએ.

૨. સૂર્ય નમસ્કાર કરવાથી શરીરની દરેક ક્રિયાને ધ્યાનપૂર્વક અને આરામથી કરવી જોઈએ.

૩. આ યોગ અભ્યાસને શરુ કરતા પહેલા યોગા નિષ્ણાંત ની સલાહ જરૂર લેવી.

૪. સૂર્ય નમસ્કારની ત્રીજી અને પંચમી સ્થિતિઓ સર્વાઇકલ અને સ્લીપ ડિસ્ક વાળા રોગીઓ માટે મનાઈ છે.

૫. જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડિત છો તો એક વખત તમારા ડોક્ટરની સલાહ જરૂર લઇ લો.

૬. સૂર્ય નમસ્કાર ઓછામાં ઓછા પાંચ વખત કરવા જોઈએ પણ શરૂઆત વખતે તમે તેને તમારી શારીરિક ક્ષમતા મુજબ કરો.

૭. ગર્ભવતી મહિલા ત્રીજે મહીને ગર્ભ પછી આ કરવાનું બંધ કરી દે.

8 હર્નિયા અને ઊંચા લોહીના દબાણ ના દર્દીઓએ સૂર્ય નમસ્કાર ન કરવાની સલાહ આપવામાં આવે છે.

૯. પીઠની તકલીફ થી પીડિત લોકો સૂર્ય નમસ્કાર શરુ કરતા પહેલા યોગ્ય સલાહ જરૂર લેશો.

૧૦. મહિલાઓ પીરીયડ દરમિયાન સૂર્ય નમસ્કાર અને બીજા આસનો ન કરે

વિડીયો