રાત્રે સુતા પહેલા ૭ દિવસ ખાઈ લો ગોળ, આ ૫ જાતની તકલીફ થઇ જશે દુર, આજે જ અજમાવી લો

ગોળ ખાવાના ફાયદા તો બધા જાણો જ છો. પણ અમે અહિયાં રાતના સુતા પહેલા ગોળ ખાવાના ફાયદા જણાવી રહ્યા છીએ. જો તમે ૭ દિવસ સતત આમ કરશો તો તમને તે ફાયદો કરશે. આયુર્વેદ મુજબ હમેશા તંદુરસ્ત રહેવા માટે રોજ લગભગ ૨૦ ગ્રામ ગોળ ખાવો જોઈએ.

તેના વિષે અમે આયુર્વેદ નિષ્ણાંત અબરાર મુલતાની સાથે વાત કરી તો તેમણે જણાવેલ કે ગોળમાં રહેલ તત્વ શરીરના એસીડને દુર કરી દે છે. જયારે ખાંડના સેવનથી શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય છે. જે ઘણી બીમારીઓનું કારણ બને છે. જેમ કે સૌને ખબર છે કે આજકાલ આપણું હાલનું ખાવા પીવાનું યોગ્ય ન હોવાને કારણે માણસ વહેલા થાકી જાય છે.

એટલું જ નહિ ઘરડાની સાથે સાથે યુવાઓ પણ તેમની ગણતરીમાં આવી ગયા છે. યુવાન પણ જલ્દી થાકી જાય છે, થોડું કામ કરવાથી થાકનો અનુભવ કરવા લાગે છે. પણ મિત્રો આજે અમે તમારા માટે એક એવો નુસખો લઈને આવ્યા છીએ, જેવું સેવન કરવાથી તમારો થાક નિયમિત રીતે દુર થઇ જશે.

જો તમે અમારા જણાવ્યા મુજબ આ વિધિને કામમાં લો છો તો તમને ઘણા ફાયદા થશે. તો આવો જોઈએ આ નુસખા વિષે. તમે જોયું હશે કે હમેશા મજુર ગોળનું સેવન કરે છે, પણ તમે ક્યારેય એ વિચાર્યું છે કે તે ગોળનું સેવન કેમ કરે છે. મજુર તમારાથી વધુ મહેનત કરે છે તેમ છતાં પણ તે થાકતા નથી તેનું મૂળ કારણ છે તે નિયમિત રીતે ગોળનું સેવન કરે છે.

ભારતમાં હમેશા લોકો ખાધા પછી ગળ્યું ખાવાનો શોખ ધરાવે છે. પણ જો તમારે આરોગ્ય જાળવી રાખવું છે અને ગળ્યું પણ ખાવું છે તો એક હેલ્દી ઓપ્શન હોઈ શકે છે. ગોળનું ભારતીય સંસ્કૃતિમાં પોતાનું મહત્વ છે. ગોળ અને ખાંડ બન્ને શેરડીના રસમાંથી બને છે. પણ ખાંડ બનાવતી વખતે તેમાં રહેલ આયર્ન તત્વ, પોટેશિયમ ગંધક, ફોસ્ફરસ અને કેલ્શિયમ વગેરે તત્વ નાશ થઇ જાય છે.

પણ ગોળ સાથે આવું બનતું નથી. ગોળમાં વિટામીન B પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. એક શોધનું માનીએ તો ગોળનું નિયમિત રીતે સેવન તમને અનેક પ્રકારની આરોગ્ય સબંધિત તકલીફોથી છુટકારો અપાવી શકે છે. આવો જાણીએ ગોળના થોડા મહત્વના ફાયદા.

આ ૫ જાતની તકલીફો થઇ શકે છે દુર :

(૧.) સ્કીન થઇ જાય છે ચમકદાર : ૭ દિવસ સુધી રોજ ગોળ ખાવાથી તમારી સ્કીન ક્લીયર અને હેલ્દી થઇ જશે કેમ કે ગોળ શરીર માંથી ટોક્સીનને બહાર કાઢી નાખે છે. જેથી સ્કીન ચમકદાર બને છે. સ્કીન સબંધિત તકલીફ પણ દુર થઇ જાય છે.

(૨.) હાડકા થશે મજબુત : ગોળ ખાવાથી હાડકા મજબુત થઇ જાય છે. તેમાં કેલ્શિયમ સાથે ફોસ્ફરસ પણ હોય છે જે હાડકાને મજબુત બનાવે છે.

(૩.) નબળાઈ થઈ જશે દુર : જો તમને નબળાઈનો અનુભવ થાય છે તો દૂધ સાથે ગોળ ખાવાથી આ તકલીફ દુર થઇ જશે. ગોળ શરીરમાં એનર્જીનું લેવલ વધારી દે છે.

(૪.) ગેસ અને એસીડીટી થશે દુર : જો તમે રાત્રે ખાધા પછી સુતા પહેલા થોડો ગોળ ખાઈ લો છો તો ગેસ અને એસીડીટીની તકલીફ દુર થઇ જશે.

(૫.) માઈગ્રેન અને સામાન્ય માથાનો દુ:ખાવો થઇ જાય છે દુર : ગાયના ઘી સાથે ગોળ ખાવાથી માઈગ્રેન અને સામાન્ય માથાનો દુ:ખાવો દુર થઇ જાય છે. સુતા પહેલા અને સવારે ખાલી પેટ ૫ મી.લિ. ગાયના ઘી સાથે ૧૦ ગ્રામ ગોળ એક દિવસમાં બે વખત ખાવ. માઈગ્રેન અને માથાનો દુ:ખાવામાં રાહત મળશે.

ગોળના 8 ચમત્કારી ફાયદા :

(૧.) લોહી ચોખ્ખું, પાચન ક્રિયા, ગેસની તકલીફ, પેટને ઠંડક, મેટાબોલીઝમ : ગોળ પાચન ક્રિયાને યોગ્ય રાખે છે, ગોળ શરીરનું લોહી ચોખ્ખું કરે છે અને મોટાબોલીઝમ સારું કરે છે. રોજ એક ગ્લાસ પાણી કે દૂધ સાથે ગોળનું સેવન પેટને ઠંડક આપે છે. તેનાથી ગેસની તકલીફ થતી નથી. જે લોકોને ગેસની તકલીફ છે તે રોજ લંચ કે ડીનર પછી થોડો ગોળ જરૂર ખાય.

(૨.) એનીમિયા : ગોળ આયર્નનો મુખ્ય સ્ત્રોત છે. તેથી તે એનીમિયાના દર્દી માટે ખુબ ફાયદાકારક છે. ખાસ કરીને મહિલાઓ માટે તેનું સેવન ખુબ વધુ જરૂરી છે.

(૩.) ત્વચા, ટોક્સીન દુર, ખીલ દૂર : ત્વચા માટે ગોળ ખુબ ફાયદાકારક હોય છે. ગોળ લોહીમાંથી ખરાબ ટોક્સીન દુર કરે છે. જેનાથી ત્વચા ચમકદાર બને છે અને ખીલની તકલીફ રહેતી નથી.

(૪.) જુકામ અને કફ : તેનું સેવન જુકામ અને કફથી આરામ અપાવે છે. જુકામ દરમિયાન જો તમે કાચો ગોળ ન ખાવા માગો તો ચા કે લાડવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

(૫.) થાક અને નબળાઈ : ખુબ વધુ થાક અને નબળાઈ અનુભવ કરવા ઉપર ગોળનું સેવન કરવાથી તમારી એનર્જી વધી શકે છે. ગોળ જલ્દી પચી જાય છે અને ખાંડનું સ્તર પણ વધતું નથી.

(૬.) તાવને નિયંત્રણ, દમ : ગોળ શરીરમાં તાવનું નિયંત્રિત રાખે છે. તેમાં એન્ટી એલર્જીક તત્વ રહેલ છે તેથી દમના દર્દીઓ માટે તેનું સેવન ઘણું ફાયદાકારક સાબિત થાય છે.

(૭.) સાંધાના દુ:ખાવા : ગોળ સાંધાના દુ:ખાવાથી પણ આરામ અપાવે છે. રોજ ગોળનો એક ટુકડા સાથે આદુનું સેવન કરવાથી સાંધાના દુ:ખાવાથી છુટકારો મળી શકે છે.

(8.) બ્લડ પ્રેશર : ગોળમાં વધુ પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

ગોળનું સેવન કરવાની રિત :

(૧.) દેશી ઘી સાથે : જો તમને સામાન્ય રીતે જ ગોળ ખાવાની ઈચ્છા નથી થતી, તો તમે ગોળને ઝીણો કતરી લો અને તેને દેશી ઘી માં ભેળવી દો, પછી તેને રોટલી ઉપર મુકીને ખાશો તો તમને ખુબ એનર્જી મળશે.

(૨.) દૂધ સાથે : સાંજે ખાતી વખતે તમારે ગોળનું સેવન કરવું જોઈએ. તેને તમે જયારે દૂધ પીવો છો તેની સાથે સાથે ખાઈ શકો છો. તેનાથી તમારું હિમોગ્લોબીનનું સ્તર ઝડપથી વધશે અને તમને એનર્જી મળશે.

(૩.) છાશની સાથે : તમે શિયાળામાં સવારે છાશ સાથે પણ ગોળનું સેવન કરશો તો તમને તેનાથી ખુબ જ વધુ એનર્જી મળશે અને તમને આવા સેવનથી સ્વાદ પણ આવે છે અને થાક પણ નથી લાગતો.