તેમાં કોઈ શંકા નથી કે બાહુબલી ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મને બે ભાગમાં બનાવવામાં આવી અને બન્નેને લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો. આ ફિલ્મે દેશમાં જ નહિ પણ વિદેશમાં પણ ઘણી બધી કમાણી કરીને રેકોર્ડ બનાવી દીધો છે. ‘બાહુબલી 2’ ભારતીય સિનેમાના ઈતિહાસની તે પહેલી ફિલ્મ બની ગઈ છે, જેના દ્વારા દુનિયા ભરમાં ૧૫૦૦ કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મનું નિર્દેશન એસ.એસ. રાજામૌલીએ કર્યું છે.
બાહુબલીને હિન્દીમાં બનાવવા માંગતા હતા રાજામૌલી :
બાહુબલી તેલુગુ અને તામિલ ભાષામાં બનાવેલી ફિલ્મ હતી. પછી હિન્દી અને બીજી ભાષાઓમાં તેનું ડબિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં પ્રભાસ અને રાણા દ્ગ્ગુબાતી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતા અને અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન અને સત્યરાજ જેવા કલાકારોએ પણ મહત્વની ભૂમિકા ભજવેલી છે.
ખાસ કરીને બાહુબલીના ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીએ આ ફિલ્મ હિન્દીમાં બનાવવાનું વિચાર્યું હતું, તેના માટે તેમણે બોલીવુડના ઘણા મોટા કલાકારો સાથે વાત પણ કરી હતી. પણ આ કલાકારોએ આ ફિલ્મમાં કામ કરવા માટે ના કહી દીધી, જે પાછળથી તેમની સૌથી મોટી ભૂલ સાબિત થયેલ. આવો તમને જણાવીએ આ કલાકારો વિષે જેમણે બાહુબલી ફિલ્મને કરી હતી રીજેક્ટ.
બાહુબલી માટે રાજામૌલીની પહેલી પસંદ પ્રભાસ નહી પણ રિતિક રોશન હતા. તેમનું માનવું છે કે રિતિક રોશન બીજાની સરખામણીમાં આ પાત્ર સારું નિભાવી શકે છે. તેમની આ પર્સનાલીટી બાહુબલીના પાત્ર માટે ફીટ બેસે છે. રિતિક રોશને આ ફિલ્મ કરવા માટે ના કહી દીધી, કેમ કે તે સમયે રિતિક રોશન પોતાની ફિલ્મ મોહેન્જોદારો ઉપર કામ કરી રહ્યા હતા.
જોન અબ્રાહમ – ભલ્લાલ્દેવ :
બાહુબલીમાં રાણા દ્ગ્ગુબતીએ ભલ્લાલ્દેવનું પાત્ર નિભાવેલુ. ભલ્લાલ્દેવના પાત્ર માટે સૌથી પહેલા જોન અબ્રાહમને ઓફર કરવામાં આવી હતી. તેમની પાસે બાહુબલી ફિલ્મની સ્ક્રીપ્ટ પણ મોકલવામાં આવેલ હતી. ફિલ્મના નિર્માતા ઈચ્છતા હતા કે જોન અબ્રાહમ આ ફિલ્મમાં ભલ્લાલ્દેવની નેગેટીવ ભૂમિકા નિભાવે, પણ તેના ઉપર જોને કોઈ જવાબ ન આપ્યો. જો તે આ પાત્ર નીભાવતે તો એક વખત ફરી તેમની અટકેલા કરિયરને સારી ગતી મળી જતે.
વિવેક ઓબેરોય – ભલ્લાલ્દેવ :
ભલ્લાલ્દેવની ભૂમિકા માટે જોન અબ્રાહમ દ્વારા કોઈ જવાબ ન મળવાથી, ભલ્લાલ્દેવના પાત્ર નિભાવવા માટે વિવેક ઓબેરોયને પણ આ ઓફર કરવામાં આવી હતી. પણ ફિલ્મમાં ભલ્લાલ્દેવનું પાત્ર નેગેટીવ હોવાને કારણે તેમણે પણ આ ફિલ્મ કરવાની ના કહી દીધી હતી.
શ્રી દેવી – શીવગામી :
‘બાહુબલી’ માં શ્રીદેવીને રાજમાતા શિવગામીનું મહત્વનું પાત્ર ભજવવા માટે ઓફર કરવામાં આવી હતી, જે તેમણે અસ્વીકાર કરી હતી. ડાયરેક્ટર એસ.એસ.રાજમૌલીએ જણાવ્યું કે શ્રીદેવીએ આ પાત્ર કરવા માટે ના કરી હતી, કેમ કે શ્રીદેવીએ તેના માટે વધુ પૈસાની માંગણી કરેલી હતી. મેકર્સએ શ્રીદેવી દ્વારા માંગવામાં આવેલ રકમ આપવાની ના કહી દીધી હતી. જેમણે અત્યારે આપણી સાથે આ દુનિયાથી વિદાય લીધી છે. જો તે આ ફિલ્મમાં હોત તો ખરેખર ફિલ્મ આપણી યાદગીરી બની ગઈ હોત. ત્યાર પછી આ રોલ રામ્યા કૃષ્ણનને આપવામાં આવેલ જેમણે તેને સારી રીતે નિભાવેલ.
સોનમ કપૂર – અવંતિકા :
બાહુબલીમાં રાજકુમારી અવંતિકાનું પાત્ર ખાસ રહેલ હતું. આ પાત્રને તમન્ના ભાટિયાએ સારી રીતે નિભાવેલુ. પણ આ પાત્ર પહેલા બોલીવુડ હિરોઈન સોનમ કપૂરને મળવાનું હતું. આ વાત સોનમએ પોતે પણ કરેલ હતી કે અવંતિકાના પાત્ર માટે તેમને કહેવામાં આવેલ હતું, અને તેમણે આ ફિલ્મની સ્ક્રીપ્ટ પણ વાંચી હતી. પણ તેમણે આ પાત્ર ભજવવા માટે ના કહી દીધી હતી. મેકર્સ ઈચ્છતા હતા કે સોનમ બે વર્ષના બોન્ડ સાઈન કરે, જે સોનમે ન સ્વીકાર્યું.
નયનતારા – દેવસેના :
દેવસેના માટે રાજમૌલી સાઉથ ફિલ્મોની હિરોઈનને લેવા માંગતા હતા. તેથી તેમણે સાઉથ હિરોઈન નયનતારાને દેવસેનાનું પાત્ર નિભાવવા માટે ઓફર કરેલી હતી. પણ નયનતારાએ દેવસેનાનું પાત્ર ભજવવા માટે ના કહી દીધી હતી. પછી અનુષ્કા શેટ્ટીને દેવસેનાની ભૂમિકા ભજવી હતી.
મોહનલાલ – કટપ્પા :
સાઉથ ફિલ્મમાં સુપરસ્ટાર મોહનલાલને પહેલા કટપ્પાના પાત્રની ઓફર મળી હતી, પણ તેમણે આ ઓફર સ્વીકારી ન હતી. ત્યાર પછી સત્યારાજએ આ યાદગાર ભૂમિકા નિભાવી. બાહુબલીમાં કટપ્પા બનેલા સત્યરાજનો કોઈ જવાબ નથી. દરેકે આ અભિનયના વખાણ કરે છે.