માં લક્ષ્મીને પોતાની તરફ આકર્ષે છે આ 7 વસ્તુઓ, ઘરમાં રાખવાથી નથી થતી પૈસાની અછત

માતા લક્ષ્મીની કૃપા પોતાના ઘર પરિવાર ઉપર કોણ નથી ઇચ્છતું. માં ને ખુશ કરવા માટે લોકો જાત જાતની પૂજા અર્ચના કરે છે. જ્યોતિષ અને તંત્ર શાસ્ત્રમાં થોડી એવી વસ્તુ દર્શાવવામાં આવી છે, જેને ઘરમાં રાખવાથી માં લક્ષ્મીની કૃપા આપણા બધા ઉપર જળવાયેલી રહે છે. કહેવાય છે કે આ વસ્તુ લક્ષ્મી માતાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. એટલા માટે આજે અમે તમને એવી ૭ વસ્તુ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને પોતાના ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે.

તેમાંથી જો કોઈ એક વસ્તુ પણ તમે તમારા ઘરમાં રાખી લો તો તમારા ઘરમાં ધનની તંગી ક્યારેય નથી રહેતી. તેમાંથી એક વસ્તુ ઘરમાં રાખવાથી તમારા ઘરની આર્થીક સ્થિતિ સામાન્ય રહેશે. આ ૭ વસ્તુ સિદ્ધ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી જ આવક અને આવકમાં વધારો થવા લાગે છે. જે લોકો દેવામાં ડૂબેલા છે તેને પણ ફાયદો થાય છે. એટલું જ નહિ, ક્યાંક અટકેલા પૈસા પણ પાછા આવવા લાગે છે. તો આવો જાણીએ કઈ છે તે ૭ વસ્તુ જે લક્ષ્મીને પોતાની તરફ આકર્ષિત કરે છે.

દક્ષિણાવર્તી શંખ :

દક્ષિણાવર્તી શંખને દેવી લક્ષ્મીનું પ્રતિ સ્વરૂપ કહેવામાં આવે છે. સાથે જ તેને ધન સંપદા, ઐશ્વર્ય અને સમૃદ્ધીનું પણ પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે આ શંખ ઘરમાં રાખવાથી તમારી તમામ તકલીફો દૂર થવા લાગે છે. તેને ઘરની તિજોરી કે પછી પૈસા રાખવા વાળા સ્થાન ઉપર રાખો.

પારા માંથી બનેલી લક્ષ્મીની મૂર્તિ :

જો તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો ઘરમાં પારા માંથી બનેલી માં લક્ષ્મીની મૂર્તિ રાખો. માં લક્ષ્મીના પારદ સ્વરૂપની પૂજા કરવાથી મનની તમામ ઇચ્છાઓ પૂરી થાય છે.

કોડી :

કહેવાય છે કે ઘરમાં કોડી રાખવાથી ક્યારે પણ પૈસાની તંગી રહેતી નથી. માન્યતા મુજબ તો કોડીને માતા લક્ષ્મીની સગી બહેન માનવામાં આવે છે. કોડી તમને ખરાબ નજર અને સંકટો માંથી પણ બચાવી રાખે છે.

માં લક્ષ્મીની ચરણ પાદુકાઓ :

માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે તેની ચાંદી માંથી બનેલી ચરણ પાદુકાઓ ઘરના મંદિરમાં રાખો. કોઈ વિશેષ ઉદેશ્ય માટે પણ તમે તેને ઘરમાં રાખી શકો છો. પરંતુ ધ્યાન રાખો આ ચરણ પાદુકાઓની દિશા પૈસા કે ઘરેણા રાખવા વાળા સ્થાન તરફ હોવી જોઈએ.

કુબેરની મૂર્તિ :

કુબેરને સુખ સમૃદ્ધી અને ધનના દેવતા માનવામાં આવે છે. માતા લક્ષ્મીની સાથે સાથે જો તમે દેવતા કુબેરને પણ પુજશો તો પૈસા સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દુર થઇ જશે. ઘરમાં કુબેરની મૂર્તિ કે ફોટો લગાવવાથી ભગવાનની કૃપા દ્રષ્ટિ પરિવારના સભ્યો ઉપર જળવાયેલી રહે છે.

કમળકાકડી (કમળનું બીજ) :

કમળકાકડીનો પ્રયોગ પૂજા પાઠ અને મંત્ર જાપ માટે કરવામાં આવે છે. ઘરના પૂજા સ્થાન ઉપર કમળકાકડીની માળા રાખવાથી માં લક્ષ્મીની વિશેષ કૃપા વરસે છે. તમે તેની માળા પણ ધારણ કરી શકો છો. તે તમને દ્દરેક પ્રકારની તકલીફોથી બચાવશે.

શ્રી યંત્ર :

શ્રી યંત્ર એક એવું ચમત્કારિક યંત્ર માનવામાં આવે છે, જેને ઘરમાં રાખવાથી તમને તમામ પ્રકારની સમસ્યાઓ માંથી છુટકારો મળી જશે. આ શુભ યંત્રને ધન સમૃદ્ધી, લાભ અને દેવું વગેરે માંથી મુક્તિ મેળવવા માટેનું યંત્ર માનવામાં આવે છે.