સોલ્ટ લેમ્પ શું છે?
સોલ્ટ લેમ્પ અથવા હિમાલયન સોલ્ટ લેમ્પ સફેદ – ગુલાબી સિંધાલુ (સિંધવ મીઠું)થી બનેલો છે. તે ઈલેક્ટ્રીસીટીથી ચાલતો એક લેમ્પ હોય છે. સોલ્ટ લેમ્પથી થતા ફાયદાઓના કારણે લોકો તેને ઘરોમાં લગાવી રહ્યા છે. અને આજકાલ તે ઘણું ટ્રેન્ડમાં પણ છે.
આ લેમ્પમાં હિમાલય અને બીજા નજીકના ક્ષેત્રોમાં મળતા પ્રાકૃતિક સિંધાલુનો એક મોટો ટુકડો હોય છે, જેની અંદર એક નાનો બલ્બ લગાવેલો હોય છે. સોલ્ટ લેમ્પના કેટલાક મોડલમાં એક મોટા ટુકડાના સ્થાને કેટલાક નાના ટુકડા હોય છે, જેની વચ્ચે લાઈટ લગાવવામાં આવે છે.
સોલ્ટ લેમ્પથી આવતો હળવો પ્રકાશ જોવામાં સુંદર લાગે છે અને આંખોને રાહત આપે છે. સોલ્ટ લેમ્પના વધતા પ્રચલનનું કારણ માત્ર તેની સુંદરતા જ નથી પણ તેમાંથી મળતા બીજા ઘણા ફાયદા પણ છે.
એક સર્વેમાં એ જોવા મળ્યું છે કે સોલ્ટ લેમ્પ સળગાવવો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સોલ્ટ લેમ્પ સળગાવવાથી ઘરના વાસ્તુમાં પણ હકારાત્મક અસર પડે છે. આવો જાણીએ કે આ લેમ્પ કઈ રીતે કામ કરે છે અને તેના શું ફાયદા છે.
સોલ્ટ લેમ્પના ફાયદા :
સોલ્ટ લેમ્પ સળગાવવાથી હવામાં ઋણાત્મક આયન (નેગેટીવ આયન, ઋણભાર ધરાવતા) હવામાં ફેલાય છે. આ નેગેટીવ આયન પ્રકૃતિના ઘણા સ્ત્રોતોમાં મળે છે, અને ઘણી પ્રાકૃતિક ક્રિયાઓમાં બનતા રહે છે. જેમ કે વહેતું પાણી, ઝરણું, સમુદ્રી લહેરો, આકાશમાં કડકતી વીજળીમાં, સૂર્યનો પ્રકાશ વગેરે.
નેગેટીવ આયનના સંપર્કમાં આવવાથી આપણે સારું અનુભવીએ છે. તમે અનુભવ્યું હશે કે તાજા પાણીનો સ્વાદ અને સ્પર્શ તમને તાજગી આપે છે. ઝરણું અથવા સમુદ્ર કિનારા પાસે જવાથી આપણે હળવું અનુભવીએ છીએ. ચમકતી વીજળી અને વરસાદ પછી ઋતુ ખુબ ખુશનુમા લાગે છે.
હવામાં નેગેટીવ આયન હોવાથી મગજમાં ઓક્સીજનનું સ્તર વધે છે, જેનાથી આપણે વધુ સચેત, સક્રિય થઈએ છીએ. તેના સિવાય નેગેટીવ આયન હવામાં મળતા ઘણા જીવાણું અને હાનીકારક તત્વોને નિષ્ક્રિય કરીને હવા શુદ્ધ કરવામાં મદદ કરે છે. જેનાથી ઘણી બીમારીઓ અને એલર્જીથી બચાવ થાય છે.
આપણા ઘરોમાં મળતા ઈલેક્ટ્રોનિક ઉપકરણ જેવા કે ટીવી, કમ્પ્યુટર, ઓવન વગેરે વાતાવરણમાં પોઝીટીવ આયન(ધનભાર વાળા આયન) ફેલાવે છે, જેનાથી સ્ટ્રેસ, ગભરામણ અને અનિંદ્રા વગેરે તકલીફો થાય છે. સોલ્ટ લેમ્પથી નીકળતા નેગેટીવ આયન આ પોઝીટીવ આયનને નિષ્ક્રિય કરે છે.
વાસ્તુ શાસ્ત્રમાં મીઠાનો પ્રયોગ વાસ્તુ દોષોને દુર કરવા માટે કરાય છે. હંમેશા વાસ્તુ શાસ્ત્રી ઘરમાં મીઠાનું પોતું મારવું, રૂમમાં મીઠાનો ટુકડો રાખવો જેવા ઉપાયો ઘરની નકારાત્મકતાને દુર કરવા માટે જણાવે છે. આ જ રીતે મીઠાનો આ લેમ્પ સળગાવવો પણ ઘરના વાતાવરણને સકારાત્મક બનાવવામાં કાર્યરત ઉપાય જણાવે છે.
લોકોએ અનુભવ કર્યો છે કે સોલ્ટ લેમ્પ સળગાવવાથી મૂડ સારો રહે છે, એકાગ્રતા વધે છે, તણાવ દુર થાય છે અને સારી ઊંઘ આવે છે. આ લેમ્પથી હવામાં ઉત્પન્ન થયેલા નેગેટીવ આયનને કારણે લોકોએ પોતાને વધુ શક્તિશાળી અનુભવ્યા.
તેના સિવાય સોલ્ટ લેમ્પ એક સારા નાઈટ લેમ્પનું પણ કામ કરે છે. તેને એક સુંદર ડેકોરેટીવ આઈટમની રીતે પણ લગાવી શકાય છે. જો તમે પણ તમારા રૂમ અથવા ઘર માટે હિમાલયન સોલ્ટ લેમ્પ ઈચ્છો છો, તો આ http://amzn ડોટ to/2oNvH4x લીંકની મુલાકાત લો.