ફળ માણસના શરીરને ફાયદો જ પહોંચાડે છે. પરંતુ બધાને ફાયદો કરવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. આમ તો ફળોનો રાજા કેરીને કહેવામાં આવે છે, પરંતુ જામફળ પણ કેરીથી ઓછા લોકપ્રિય નથી હોતા. ખાસ કરીને શીયાળામાં આવતા જામફળની વાત જ અલગ હોય છે. તે દરમિયાન તેમાં એક વિશેષ પ્રકારનો સ્વાદ હોય છે, જેને દરેક ચાખવા માંગે છે. પરંતુ તે દરેક જગ્યાએ નથી મળતા અને જ્યાં મુશ્કેલીથી પહોંચી શકે છે ત્યાં તેના ભાવ બમણા થઇ જાય છે. જામફળ માત્ર સ્વાદ માટે જ નહિ પરંતુ તે ખાવાથી ઘણા બધા ફાયદા પણ થાય છે. ખરેખર કેમ શિયાળામાં દરેક જામફળની રાહ જુવે છે તેના વિષે જાણવું જોઈએ અને ફળના સ્વાદનો આનંદ જરૂર લેવો જોઈએ.
ખરેખર કેમ દરેક જુવે છે શીયાળામાં જામફળની રાહ :
શું તમે ક્યારેય ચાટ મસાલા સાથે જામફળ ખાવાની મજા લીધી છે? જો નહિ તો આજે જ જાવ અને જામફળ લાવો અને તેને ચાટ મસાલા સાથે ખાવ. તે ખાધા પછી તમે આ પોસ્ટને કેટલીય વખત શેર કરશો, કેમ કે તે સાચું છ. ખરેખર શીયાળામાં જામફળની વાત જ અલગ હોય છે. જામફળમાં વિટામીન અને ખનીજ શરીરને ઘણા પ્રકારની બીમારીઓથી બચાવે છે, તો આવો જણાવીએ ઠંડીમાં જામફળ ખાવાથી ક્યા ક્યા ફાયદા થાય છે.
૧. જામફળ મેંગેનીઝનો ઘણો સારો સ્ત્રોત માનવામાં આવે છે, જે આપણા શરીરને બીજા ખોરાક ખાવાથી મળતા મહત્વના પોષક તત્વોને ગ્રહણ કરવામાં મદદ કરે છે. જામફળમાં રહેલા પોટેશિયમ લોહીના દબાણના સ્તરને સામાન્ય કરે છે. તે ઉપરાંત હ્રદય અને માંસપેશીઓને પણ જામફળ તંદુરસ્ત રાખે છે.
૨. જામફળમાં ૮૦ ટકા પાણી ભળેલું હોય છે, જે ત્વચાના ભેજને જાળવી રાખે છે. તે ઉપરાંત તે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. જામફળમાં ફાઈબરનું પુરતું પ્રમાણ હોય છે જે ડાયાબીટીસના રોગીઓ માટે ઘણું ફાયદાકારક સાબિત થાય છે.
૩. શીયાળામાં જો તમે જામફળનું સેવન નિયમિત રીતે કરો છો, તો શરદી, જુકામ જેવી સામાન્ય બીમારીઓ થવાનો ભય ઘણો ઓછો રહે છે. જામફળમાં મળી આવતા વિટામીન એ અને ઈ આંખો, વાળ અને ત્વચાને પુષ્કળ પ્રમાણમાં પોષણ પૂરું પાડે છે.
૪. જામફળમાં રહેલા લાઈકોપીન નામના પોષક તત્વ શરીરમાં થતી ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર અને ટ્યુમરના ભયથી પણ દુર રાખે છે. જામફળમાં બીટા કેરોટીન મળી આવે છે જે શરીરને ત્વચા સંબંધી ઘણી બીમારીઓથી પણ બચાવે છે.
૫. ઘણા બધા લોકો જામફળના બીજ નથી ખાતા, પરંતુ તમને કદાચ ખબર નહિ હોય કે આ બીજ ખાવા સૌથી વધુ ફાયદાકારક હોય છે, જેના કારણે પેટ સાફ થાય છે. જામફળ મેટાબોલીઝમને સારું રાખે છે જેથી શરીરમાં મળી આવતા કોલેસ્ટ્રોલના સ્તર પણ કંટ્રોલમાં રહે છે.
૬. જામફળ ખાવાથી દાંત અને પેઢા મજબુત બને છે, અને જામફળના પાંદડાથી મોઢાના છાલા સારા થાય છે. તે ઉપરાંત જામફળનો રસ કોઈ પણ પ્રકારની ઈજાને ઘણી ઝડપથી ભરે છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.