કોઈ મહિલા સ્મશાન કેમ નથી જઈ શકતી, લોકો આજ સુધી નઇ જાણતા હોય એનો જવાબ

સ્મશાન ઘાટ તે સ્થાન છે જ્યાં મૃત માણસના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મોટાભાગના સ્મશાન ઘાટ નદીના કિનારે બનેલા હોય છે. સ્મશાનની અગ્નિ ઘણી ખરાબ હોય છે. શાસ્ત્ર મુજબ આગ ૨૭ પ્રકારની હોય છે. અને ચિતાની અગ્નિ સૌથી અલગ હોય છે. સ્મશાન ઘટમાં કોઈ પણ પવિત્ર અને માંગલિક કાર્ય નથી કરવામાં આવી શકતા. સ્મશાનમાં ભગવાન શિવ ધ્યાનમગ્ન રહે છે.

શાસ્ત્રોના જણાવ્યા મુજબ સ્મશાન ઘાટ શહેરથી દુર હોવો જોઈએ, જેથી અપવિત્ર ધૂળ અને નકારાત્મક ઉર્જા ઘરમાં ન ઘુસી શકે. કહેવામાં આવે છે કે સ્મશાનમાં ભૂત પ્રેત અને આત્માઓનો વાસ હોય છે. એટલા માટે રાતના સમયે સ્મશાન ઘાટ પાસેથી પસાર ન થવું જોઈએ. એવી પણ માન્યતાઓ છે કે જયારે આકાશમાં ચંદ્ર દેખાઈ ત્યાંથી સૂર્ય ઉદય થવા સુધી કોઈ પણ જીવિત વ્યક્તિએ સ્મશાનની આસપાસ ન જવું જોઈએ. હિંદુ ધર્મના શાસ્ત્રો મુજબ કોઈ પણ વ્યક્તિએ કારણ વગર દિવસના સમયે પણ સ્મશાન ઘટમાં ન જવું જોઈએ.

જાણો મહિલાઓને કેમ નથી સ્મશાન ઘાટ જવાની પરવાનગી : હિંદુ ધર્મની માન્યતાઓ મુજબ અમુક જગ્યાઓ ઉપર માત્ર પુરુષ જ જઈ શકે છે, કે થોડા કામ માત્ર પુરુષ જ કરી શકે છે. આ કામોમાં મહિલાઓએ ભાગ લેવાની બિલકુલ મનાઈ છે. જેમ કે આપણે જાણીએ છીએ કે હિંદુ ધર્મમાં નારીયેળ પુરુષ જ ફોડે છે. મહિલાઓ નારીયેળ નથી ફોડી શકતી. તેવી રીતે અંતિમ સંસ્કાર કરવા માટે જયારે લોકો સ્મશાન ઘાટ જાય છે, તો ત્યાં માત્ર પુરુષ જઈ શકે છે મહિલાઓ નથી જઈ શકતી.

આપણે ઘણી વખત વિચારીએ છીએ કે છેવટે એવું કેમ થાય છે, કે મહિલાઓને સ્મશાન ઘાટ નથી જવા દેવામાં આવતી. તેની પાછળ ઘણા સત્ય છે. પરંતુ તે માત્ર એમ જ માનવામાં આવી રહ્યા છે, પણ આજે અમે તમને એનાતથ્યો વિષે જણાવીશું. જેનો આજથી નહિ પરંતુ સદીઓથી પાલન થતું આવી રહ્યું છે. તો આવો જાણીએ કે મહિલાઓને સ્મશાન ઘાટ કેમ નથી જવા દેવામાં આવતી.

મહિલાઓને સ્મશાન ઘાટ ન જવા દેવાના કારણો :

૧. હિંદુ ધર્મના લોકો જયારે કોઈના અંતિમ સંસ્કારમાં આવે છે, કે તેમાં જોડાય છે તો તેના હિસાબે તે લોકોને પોતાનું માથું મૂંડાવવું પડે છે. અને એ બધી વાતો આપણે સારી રીતે જાણીએ છીએ, કે મહિલાઓને વાળ મૂંડાવવાની પરવાનગી નથી.

૨. એક મહિલાનું દિલ પુરુષના દિલથી વધુ કોમળ અને નરમ હોય છે. એટલા માટે તે કોઈનું દુ:ખ નથી જોઈ શકતી. જો સ્મશાન ઘાટ ઉપર કોઈ રડે છે, તો જે માણસને દાહ સંસ્કાર થઇ રહ્યો છે તેની આત્માને શાંતિ નથી મળી શકતી. મહિલાઓ કોઈને સળગતા જુવે અને તે રડે નહિ, એવું બની જ નથી શકતું. કેમ કે તેના માટે કોઈ માણસની ઈજા જોવી પણ મુશ્કેલ કામ હોય છે.

૩. મહિલાઓને સ્મશાન ઘાટ નથી જવા દેવામાં આવતા, કેમ કે મહિલાઓનું દિલ ઘણું કોમળ હોય છે. અને મૃત્યુ પછી માણસને ચિતા ઉપર સળગતા જુવે અને ક્યાંક ડરી ગઈ. તો તેમના માટે ઘણી મોટી સમસ્યા બની જશે. એટલા માટે પણ તેમને સ્મશાન ઘાટ નથી જવા દેવામાં આવતા.

૪. મહિલાઓને સ્મશાન ઘાટ ન જવાના કારણમાં સૌથી મોટું કારણ એ છે, કે જ્યારે લોકો સ્મશાન ઘાટમાં મૃત વ્યક્તિનો દાહ સંસ્કાર કરવામાં આવે છે, તો ઘરમાં પુરુષોના પગ ધોવરાવવા અને સ્નાન કરાવવા માટે મહિલાઓનું ઘરે રહેવું ઘણું જરૂરી છે. જેથી પુરુષોને કોઈ વસ્તુ ઘરમાં સ્પર્શ ન કરવા દેવામાં આવે. અને સ્પર્શ કર્યા વગર તેમને પાણી વગેરે મળી જાય. જેથી તે સ્નાન કરી શકે.

૫. એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે સ્મશાન ઘાટમાં આત્માઓ વાસ કરે છે. અમે મોટાભાગે આત્મા મહિલાઓને જ નિશાન બનાવે છે. એટલા માટે પણ સ્મશાન ઘાટમાં મહિલાઓને નથી જવા દેવામાં આવતી. બસ આ પાંચ કારણોને કારણે જ મહિલાઓને સ્મશાન ઘાટ નથી જવા દેવામાં આવતા. ત્યાં તેમને જવાની મનાઈ છે કેમ કે અહિયાં જેટલી પણ દલીલો આપવામાં આવી છે તે ધાર્મિક આસ્થાઓથી સાચી છે. અને તમે જો લોજીકના હિસાબે જુવો તો પણ તે સાચું જોવા મળે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)